મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ઓડિશામાં પાણીના સંરક્ષણ અને ટકાઉ પર્યાવરણ બનાવવા માટે એસીસીનો વ્યવહારિક અભિગમ

એસીસી ઓડિશાના બારગઢના કૃષિ જિલ્લામાં જળ સંસાધનો અને ટકાઉપણાને વધારવા માટે કટપલી ગ્રામ પંચાયતને સશક્ત બનાવે છે. એસીસી અને અદાણી ફાઉન્ડેશને સીએસઆર હેઠળની પહેલને રૂ. 16 લાખના અંદાજિત ખર્ચ સાથે સહાય પૂરી પાડી હતી.

ઓડિશામાં પાણીના સંરક્ષણ અને ટકાઉ પર્યાવરણ બનાવવા માટે એસીસીનો વ્યવહારિક અભિગમ

અમદાવાદ : ડાયવર્સિફાઇડ અદાણી જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ તેની સીએસઆર પહેલ હેઠળ ઓડિશા રાજ્યના બારગઢ જિલ્લામાં ભૂગર્ભજળના સ્તરને અપગ્રેડ કરવા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે જળ સંરક્ષણ અને અને સ્વચ્છ તથા પર્યાવરણને અનુકૂળ વાતાવરણની જવાબદારી ઉપાડી છે.

બારગઢના પડકારરૂપ વાતાવરણમાં, જ્યાં તાપમાનમાં ઊંચી વધઘટ થતી રહે છે, એસીસી એ જળ સંરક્ષણ તરફ સક્રિય અભિગમ અપનાવ્યો છે. કટપાલીના પ્રદેશમાં વાર્ષિક આશરે 1,050 મિમી વરસાદ પડે છે અને અહીંના રહેવાસીઓ માટે પાણીની અછત એક મોટી સમસ્યા છે. આનાથી કૃષિ પર અસર પડે છે, જે પ્રદેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. પ્રદેશમાં પાણીની અછતના મુદ્દાને ઉકેલવા માટે, એસીસીએ કટપાલી તળાવને ઊંડા કરવા માટે સહભાગી અભિગમમાં કટપાલી ગ્રામ પંચાયતને ટેકો આપ્યો હતો. તળાવમાંથી માટીના ખોદકામ સાથેનો આ પ્રોજેક્ટ એસીસી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂ. 16 લાખના અંદાજિત ખર્ચ સાથે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.

કટપાલી તળાવને ઊંડા કરવાથી તેની જળ સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. ગામ વહીવટીતંત્ર સાથે સમુદાયના સભ્યોના સહયોગથી હાથ ધરવામાં આવેલી આ પહેલથી સ્થાનિક સમુદાયના લગભગ 2,500 સભ્યોને નોંધપાત્ર રીતે લાભ થશે. તદુપરાંત, તે 50થી 60 એકર જમીન વિસ્તાર પર વર્ષભરની ખેતી માટેનો માર્ગ પણ મોકળો કરે છે.

એસીસી અને અદાણી ફાઉન્ડેશન બારગઢ જિલ્લામાં ટેકો પૂરો પાડવાનું ચાલુ રાખે છે અને અન્ય ઉદ્યોગો અને સંસ્થાઓને પર્યાવરણીય ટકાઉપણાને પ્રાથમિકતા આપવા અને મોખરે રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમની સહયોગી પહેલ વિવિધ હિસ્સેદારો સાથે ભાગીદારીમાં માત્ર પ્રદેશ દ્વારા સામનો કરવામાં આવતા તાત્કાલિક પડકારોને જ નહીં, પણ બારગઢ અને તેના લોકો માટે વધુ ટકાઉ ભવિષ્ય તરફ પણ કામ કરે છે.

fashion

સંબંધિત સમાચાર

travel