સહકાર મંત્રી અમિત શાહ બુધવારે નવી દિલ્હીમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સના પ્રમોશન પર નેશનલ સેમિનારને સંબોધિત કરશે. આ દરમિયાન નાના અને સીમાંત ખેડૂતોના ઉત્થાનમાં સહકારી મંડળીઓની ભૂમિકા તેમજ જૈવિક પેદાશોના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવશે. સેમિનારનું આયોજન નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
શ્રી શાહ સંસ્થાના લોગો, વેબસાઈટ અને બ્રોશરનું લોકાર્પણ કરશે. સહકાર દ્વારા સમૃદ્ધિના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડની સ્થાપના રાષ્ટ્રીય સ્તરની મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી તરીકે કરવામાં આવી છે જેથી ભારતને ઓર્ગેનિક ઉત્પાદનોમાં વૈશ્વિક ઉત્પાદક બનાવવામાં આવે. દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયે છેલ્લા 27 મહિનામાં 54 પહેલ કરી છે.


