રોહતક : હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને સરકારે ફરી એકવાર 50 દિવસની પેરોલ આપી છે. માત્ર 29 દિવસ પહેલા જ રામ રહીમ ફર્લો થઈને જેલમાં પરત ફર્યો હતો. પરંતુ હવે ફરી એકવાર તે જેલમાંથી બહાર આવશે.
મળતી માહિતી મુજબ, હરિયાણા સરકારે બાબા રામ રહીમને 50 દિવસની પેરોલ આપી છે. આ દરમિયાન તેઓ યુપી બાગપતના બરનવા આશ્રમમાં રોકાશે. રામ રહીમ શુક્રવારે સાંજે અથવા શનિવારે સવારે રોહતક જેલમાંથી બહાર આવશે. તમને જણાવી દઈએ કે હરિયાણાની જેલના નિયમો અનુસાર, કોઈપણ દોષિત કેદી વર્ષમાં 70 દિવસ માટે પેરોલ લઈ શકે છે.
રામ રહીમ હાલમાં જ જેલ પરત ફર્યો હતો
નવેમ્બર મહિનામાં હરિયાણા સરકારે રામ રહીમને 21 દિવસની રજા આપી હતી. આ દરમિયાન તેઓ 21 દિવસ યુપીમાં બગવતના આશ્રમમાં રહ્યા હતા. અહીંથી રામ રહીમ 21 ડિસેમ્બરે રોહતક જેલમાં પરત ફર્યો હતો. પરંતુ હવે ફરી એકવાર રામ રહીમને પેરોલ મળી છે.


