ભોપાલમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેલેરિયા વિભાગની ટીમો લાર્વાનો નાશ કરવામાં લાગેલી છે. ઘણીવાર આવા કિસ્સાઓ વરસાદ દરમિયાન નોંધપાત્ર રીતે વધી જાય છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં લગભગ 40 થી 50 ટકાનો વધારો થયો છે. અમુક જગ્યાએ અલગ ડેન્ગ્યુ વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે.
મેડિકલ એક્સપર્ટના મતે દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન વાયરલ તાવ અને ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે. ડેન્ગ્યુથી બચવા માટે શું તકેદારી રાખવાની છે તેની ચર્ચા કરી હતી.


