ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પદ પરથી રાજીનામું આપ્યું. તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો. તેમણે લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈને પણ એવી ધારણા નહોતી કે અરુણ ગોયલ આ રીતે પોતાના પદ પરથી રાજીનામું આપશે. તે જ સમયે, ત્રણ દિવસ પછી પંચે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાનું છે અને માત્ર બે દિવસ પહેલાં જ પંચ પશ્ચિમ બંગાળના પ્રવાસ પરથી પરત ફર્યું છે.
અરુણ ગોયલ ચૂંટણી કમિશનર તરીકે કામ જોઈ રહ્યા હતા.
સૂત્રોનું કહેવું છે કે આ રાજીનામું વધુ મહત્ત્વનું છે કારણ કે હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય અરુણ ગોયલ પણ ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે કામ કરી રહ્યા હતા. જ્યારે કમિશનમાં કુલ 3 લોકો છે. મતલબ કે આ સ્થિતિ પછી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર જ બચ્યા છે.


