કેન્દ્રીય કેબિનેટની બેઠકઃ કેન્દ્ર સરકારે દિવાળી પહેલા ખેડૂતો માટે તિજોરી ખોલી દીધી છે. ખેડૂતહિત માટે સતત તત્પર રહેતી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતભરના ખેડૂતોને આર્થિક સહાય સહિત તેમજ વિવિધ પ્રકારની સબસિડીનો લાભ મળી રહ્યો છે. આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે પોષક તત્વો આધારિત સબસિડીના દરોને મંજૂરી આપી છે.
તમને જણાવી દઈએ કે કેબિનેટની બેઠકમાં રવી સિઝન 2023-24 (01.10.2023 થી 31.03.2024 સુધી) માટે ફોસ્ફેટ પર પોષક તત્વો આધારિત સબસિડી (NBS) ના દરો નક્કી કરવામાં આવ્યા છે. અખબારી યાદી અનુસાર, આગામી રવી સિઝન 2023-24માં NBS પર 22,303 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
ખેડૂતોને સસ્તા દરે ખાતર મળશે
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર મળશે. આ ખાતરોની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, રવી સિઝન 2023-24 માટે ખાતરો પર સબસિડી આપવામાં આવશે.


