લોકસભા ચૂંટણી 2024 બાદ કેન્દ્રમાં NDAની સરકાર બની છે. રવિવાર, 9 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પીએમ મોદીની સાથે 72 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા છે. આમાં મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું નામ પણ છે. તમને જણાવી દઈએ કે આજે સાંજે 5 વાગ્યાથી મોદી કેબિનેટની પ્રથમ બેઠક મળી રહી છે જેમાં મંત્રીઓને મંત્રાલયો અથવા વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે.
પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. શિવરાજને ભારતના નવા કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય શિવરાજને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
પહેલીવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ પીએમ મોદીની કેબિનેટમાં એન્ટ્રી મળી છે. જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સિવાય અમિત શાહને ગૃહ મંત્રાલય, નિર્મલા સીતારમણને નાણા મંત્રી, રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય અને અશ્વિની વૈષ્ણવને રેલ્વે મંત્રીનો હવાલો મળ્યો છે. શિવરાજ સિંહ ચૌહાણને દેશના નવા કૃષિ મંત્રી અને જેપી નડ્ડાને દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.


