વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સામાન્ય નાગરિકોને 'નમો એપ' પર જાહેર અભિપ્રાય ના સર્વે માં ભાગ લેવા અને છેલ્લા દસ વર્ષમાં થયેલી પ્રગતિ વિશે તેમના મંતવ્યો શેર કરવા વિનંતી કરી છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, વડા પ્રધાને તેમને હેશટેગ જનમન સર્વે નો ઉપયોગ કરીને તેમનો પ્રતિસાદ સીધો તેમને મોકલવા કહ્યું. આ સર્વે લોકોને રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ વિશે તેમના અભિપ્રાય વ્યક્ત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ જેપી નડ્ડા એ કહ્યું છે કે લોકો સરકારી કાર્યક્રમો, તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્યો અને સંસદના સભ્યોની કામગીરી જેવા ઘણા મુદ્દાઓ પર તેમનો પ્રતિસાદ શેર કરી શકે છે. તેમણે દરેકને આ સર્વે માં ભાગ લેવા અને નવા ભારતની વિકાસ ગાથાનો ભાગ બનવા વિનંતી કરી.


