ઓલિમ્પિક ગેમ્સના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો સમિતિના સત્ર દરમિયાન લેવામાં આવે છે. આ સત્રમાં સમિતિના અધ્યક્ષ થોમસ બાચ, ઘણા પ્રખ્યાત ખેલાડીઓ અને રમતગમત સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
માહિતી પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ગઈકાલે મુંબઈમાં જાણીતા ખેલાડીઓ અને આંતરરાષ્ટ્રીય રમત મહાસંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકોમાં ભારતીય રમતવીરોના સ્વાસ્થ્ય અને પ્રદર્શનને સુધારવા માટે રમત વિજ્ઞાન અને ચિકિત્સા ક્ષેત્રે નિપુણતાનું આદાનપ્રદાન, તાલીમ પદ્ધતિઓ અને સાધનસામગ્રીને સુધારવા માટે સંયુક્ત સંશોધન અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ જોવા મળ્યો. એ જ રીતે ડિજિટલ કોચિંગ અને તાલીમનો ઉપયોગ રમતગમતમાં પણ થઈ શકે છે.


