શેખ શાહજહાં હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની કસ્ટડીમાં છે. તમને જણાવી દઈએ કે શાહજહાં શેખને રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પૂર્વ ટીએમસી નેતા અને સંદેશખાલી કેસના આરોપી શેખ શાહજહાંની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. કોર્ટમાં તેમની જામીન અરજી આજે ફરી એકવાર ફગાવી દેવામાં આવી હતી અને સીબીઆઈએ તેમને વધુ આઠ દિવસના રિમાન્ડ આપ્યા છે. અગાઉ શાહજહાં ED અધિકારીઓ પર હુમલાના કેસમાં CBI રિમાન્ડ પર હતો.


