મુખ્ય સામગ્રી પર જાઓ

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો આંચકો, જામીન અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. આજે બે ન્યાયાધીશોની બેન્ચે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી કરી.

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો આંચકો, જામીન અરજી ફગાવી

Delhi Liquor Scam Case: દિલ્હી લિકર કૌભાંડ કેસમાં જેલની સજા કાપી રહેલા મનીષ સિસોદિયાને ફરી એકવાર કોર્ટ તરફથી જોરદાર ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બે જજની બેન્ચે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સિસોદિયા સામે ચાલી રહેલા કેસોની તપાસનો ચુકાદો આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટે CBI અને EDને કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી અને મનીષ સિસોદિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને લઈને ઘણા સવાલ પૂછ્યા હતા. કોર્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોઈને પણ જીવનભર જેલમાં રાખી શકાય નહીં.

મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવે ટ્રાયલ શરૂ થવા દો, ત્રણ મહિના પછી નવી અરજી દાખલ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે આ મામલામાં 338 કરોડ રૂપિયાના મની ટ્રાન્સફર અંગે પહેલા એક વખત કહેવામાં આવ્યું છે.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા કથિત દારૂ કૌભાંડ કેસમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે અગાઉ મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો અને આજે જામીન અરજી ફગાવી દીધી છે. મનીષ સિસોદિયાએ તેમની વિરુદ્ધ બે અલગ-અલગ કેસમાં કોર્ટ પાસે જામીન માંગ્યા છે.

સંબંધિત સમાચાર