વડાપ્રધાન મોદી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મધ્યપ્રદેશના દમોહમાં જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ માત્ર ધારાસભ્યોને ચૂંટવા માટે નથી, પરંતુ મધ્યપ્રદેશના વિકાસને નવી દિશા આપવા માટે છે.
કોંગ્રેસ પાર્ટીને ખોટા વચનોની ગેરંટી ગણાવતા શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ જુઠ્ઠાણા પર આધારિત રહ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા ખોટા વચનો આપતી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જન કલ્યાણની દિશામાં પગલાં લીધાં છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે વડાપ્રધાને કહ્યું કે આયુષ્માન ભારત કાર્યક્રમ હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની ઉપલબ્ધતાને કારણે ગરીબ પરિવારોએ 1 લાખ કરોડ રૂપિયાથી વધુની બચત કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચાર કરોડ ઘરો બનાવવામાં આવ્યા છે.
કિસાન સન્માન નિધિ અંગે શ્રી મોદીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર આ કાર્યક્રમ હેઠળ 12 હજાર કરોડ રૂપિયા ચૂકવી રહી છે, જ્યારે કોંગ્રેસે લોન માફીના નામે માત્ર ખોટા વાયદા કર્યા હતા.


