કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવીના પવિત્ર ગુફા મંદિરના દર્શને જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 80 લાખને પાર થઈ ગઈ છે. 11 વર્ષ બાદ આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા એક કરોડ સુધી પહોંચી શકે છે. નવરાત્રિના નવ દિવસ સહિત છેલ્લા 10 દિવસ દરમિયાન 4 લાખ શ્રદ્ધાળુઓએ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા. પવિત્ર ગુફામાં દરરોજ સરેરાશ 35 થી 40 હજાર શ્રદ્ધાળુઓ આવે છે.
નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણો દેવી ભવન ખાતે 4 મોટા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં સ્કાયવોક, પાર્વતી ભવનનું નવીનીકરણ, વિસ્તરણ કરાયેલ અટકા વિસ્તાર અને ભૈરોન ખીણમાં યાત્રાળુઓ માટે મફત લંગરનો સમાવેશ થાય છે. 12 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્કાયવોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્કાય વોક નવરાત્રી દરમિયાન યાત્રાના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.


