ત્રણ રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અગાઉ, રાજ્યસભા માટે 56 ઉમેદવારોમાંથી, 41 બિનહરીફ ચૂંટાયા છે. આજે ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. ઉપલા ગૃહમાં મતદાન સવારે 9 વાગ્યે શરૂ થયું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5 કલાકે મતગણતરી કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એ 41 ઉમેદવારોમાં સામેલ છે જેમણે તેમની બેઠકો બિનહરીફ જીતી છે.


