એડવાન્સ ઇન્કમટેક્સ એ નાણાકીય વર્ષમાં અપેક્ષિત આવક પર વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવતો કર છે. એડવાન્સ ટેક્સ વ્યક્તિગત તેમજ વ્યવસાયિક સ્તરે ચૂકવવામાં આવે છે, સરકાર એડવાન્સ ટેક્સના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ પર દંડ લાદે છે.
એડવાન્સ ઇન્કમટેક્સ કોને જમા કરાવવાનો હોય છે?
જે લોકો પગાર, વ્યવસાય અને ફ્રીલાન્સિંગ દ્વારા આવક મેળવે છે અને તેમની આવકવેરા જવાબદારી (માઈનસ TDS) નાણાકીય વર્ષમાં રૂ. 10,000 કરતાં વધી જાય છે તેઓએ એડવાન્સ ઇન્કમ ટેક્સ જમા કરાવવો જરૂરી છે. તેની ખાસ વાત એ છે કે તેને ચાર અલગ-અલગ હપ્તામાં જમા કરાવવાની હોય છે. નિયત તારીખો આવકવેરા વિભાગ દ્વારા જ જારી કરવામાં આવે છે.
એડવાન્સ ઇન્કમ ટેક્સનો હપ્તો જમા કરાવવાની તારીખ
જૂન 15 - કુલ કર જવાબદારીના 15 ટકા
સપ્ટેમ્બર 15- કુલ કર જવાબદારીના 45 ટકા
ડિસેમ્બર 15 - કુલ કર જવાબદારીના 75 ટકા
માર્ચ 15 - કુલ કર જવાબદારીના 100 ટકા
તમને જણાવી દઈએ કે, જો કોઈ વ્યક્તિ નિયત તારીખે એડવાન્સ ઈન્કમ ટેક્સ જમા નથી કરાવતો તો ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા તેના પર દંડ લગાવવામાં આવે છે. આવી સ્થિતિમાં એડવાન્સ ઈન્કમ ટેક્સ નિયત તારીખ પહેલા જમા કરાવવો જોઈએ.
એડવાન્સ ઇન્કમ ટેક્સની ગણતરી કેવી રીતે થાય છે?
નાણાકીય વર્ષમાં અપેક્ષિત આવક પર એડવાન્સ ટેક્સની ગણતરી કરવામાં આવે છે. આવકની ગણતરી કરતી વખતે, સરકાર દ્વારા આપવામાં આવેલી કરમુક્તિ અને કપાતને બાદ કરીને કરપાત્ર આવક પ્રાપ્ત થાય છે. અહીં પણ આવકવેરા સ્લેબ મુજબ ટેક્સ લેવામાં આવે છે.
એડવાન્સ ઇન્કમટેક્સ કેવી રીતે ચૂકવવો?
એડવાન્સ ટેક્સ ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા સરળતાથી ચૂકવી શકાય છે. ઓનલાઈન પેમેન્ટ માટે તમારે ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ પર જવું પડશે. આ સિવાય તમે અધિકૃત બેંકોમાં ઈન્કમ ટેક્સ ઓનલાઈન પણ જમા કરાવી શકો છો. આ સિવાય તમે બેંક શાખામાં જઈને ઓફલાઈન મોડ દ્વારા ચલણ દ્વારા આવકવેરો જમા કરાવી શકો છો.


