'રાજકોટનો હું હંમેશા ઋણી રહીશ', PM મોદીએ એરપોર્ટ સહિત અનેક યોજનાઓની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટને એરપોર્ટ સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં રાજકોટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમણે રાજકોટને નવું એરપોર્ટ પણ ભેટ આપ્યું હતું. આ દરમિયાન આયોજિત સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજકોટે મને ઘણું શીખવ્યું છે. રાજકોટે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો. તેનાથી મારી રાજકીય કારકિર્દીને લીલીઝંડી મળી છે અને હું હંમેશા રાજકોટનો ઋણી રહીશ.
એરપોર્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, રાજકોટને માત્ર એરપોર્ટ નહીં પરંતુ નવી ઉર્જા-નવી ઉડાન આપતું પાવરહાઉસ મળ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહ્યું હતું કે ગુજરાત મિની જાપાન બની રહ્યું છે, ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ આજે તમે તે શબ્દોને સાચા સાબિત કરી દીધા છે. હવે અહીંના ખેડૂતો માટે તેમના ફળો અને શાકભાજી વિદેશમાં મોકલવામાં સરળતા રહેશે.
પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મોટો દિવસ છે. હું એવા પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું જેમણે કુદરતી આફતોને કારણે ઘણું સહન કર્યું છે. ભૂપેન્દ્ર સરકાર શક્ય તેટલી વહેલી તકે તમામ પરિવારોનું જીવન સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે, આમાં કેન્દ્ર સરકાર પણ શક્ય તમામ મદદ કરી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.