ગુજરાતની આંગણવાડી અને આશાવર્કર બહેનો વર્ષોથી યોગ્ય વેતન અને વિવિધ અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં તેમણે ત્રણ દિવસની હડતાળ અને ગાંધીનગર વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારતા, આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામે આ આંદોલનને પૂરું સમર્થન આપ્યું છે.
March 21, 2026Salman Khan Next Film: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન વર્ષ 2027 ની ઈદ પર એક મોટી ફિલ્મ સાથે વાપસી કરી રહ્યો છે. 'સિકંદર' બાદ હવે તે 'માતૃભૂમિ' માં સૈનિકની ભૂમિકામાં જોવા મળશે, જે ઓગસ્ટમાં રિલીઝ થવાની શક્યતા છે. જોકે, સૌથી મોટો ધડાકો 2027 માં થશે, જેના માટે સલમાને દક્ષિણ ભારતના પ્રખ્યાત નિર્માતા દિલ રાજુ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વામશી પૈડીપલ્લી સાથે હાથ મિલાવ્યા છે.
ભારતીય નૌકાદળ તેની સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો કરતા 3 એપ્રિલ, 2026 ના રોજ INS તારાગિરી (F41) ને પોતાના કાફલામાં સામેલ કરશે. પ્રોજેક્ટ 17A હેઠળ માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા નિર્મિત આ ચોથું સ્ટીલ્થ ફ્રિગેટ 'આત્મનિર્ભર ભારત'નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ અમૃતસરમાં આયોજિત કાર્યક્રમમાં 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો એક પણ ગામ કે વોર્ડમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે સાંખી લેવામાં આવશે નહીં.
રવાન્ડાની માત્ર ૧૫ વર્ષ અને ૨૨૩ દિવસની મહિલા ક્રિકેટર ફેની ઉટાગાબાવાએ તેના T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં બે શાનદાર વિશ્વ રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચી દીધો છે. નાઈજીરિયા ઇન્વિટેશનલ T20I ટુર્નામેન્ટમાં ઘાના સામે રમતા ફેનીએ માત્ર ૬૫ બોલમાં ૧૧૧ રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે તે પુરુષ અને મહિલા બંને ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બની ગઈ છે.
સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, આંબા, કેળા, ઘઉં અને ચણા જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
March 21, 2026ચૈત્ર નવરાત્રી 2026 દરમિયાન માં દુર્ગાની પૂજાની સાથે દાન અને પરોપકારનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર દિવસોમાં કરવામાં આવેલું ગુપ્ત દાન સાધક પર માતાજીના વિશેષ આશીર્વાદ લાવે છે. માં દુર્ગાને પ્રિય લાલ વસ્ત્રો, સુહાગની સામગ્રી, અને કન્યાઓને ભણવા માટેની વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં જ્ઞાન અને ખુશીઓ આવે છે. આ ઉપરાંત, અન્નદાન અને કેળાનું દાન કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ વધે છે. આ આર્ટિકલમાં જાણો નવરાત્રી દરમિયાન દાન કરવાનું ધાર્મિક મહત્વ અને તે કઈ રીતે તમારા ભાગ્યને બદલી શકે છે.
March 21, 2026મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
Advertisement