આપ ન્યૂઝ
385 लेख
ચૈતર વસાવાની કલેક્ટર બેઠકમાં ગર્જના: નર્મદા જિલ્લાના રોડ, પાણી અને રોજગારના પ્રશ્નો તાત્કાલિક ઉકેલો
AAP ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સ્થાનિક પ્રજાના સળગતા પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી છે. તેમણે જિલ્લામાં રોડ, પીવાનું પાણી, હેન્ડપંપ રિપેરિંગ, મનરેગા રોજગારી, ખાતર અને પેટ્રોલ-ડીઝલની અછત જેવા પાયાના મુદ્દાઓ તાત્કાલિક ઉકેલવા માંગ કરી છે.
AAPનો માસ્ટર પ્લાન: ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા અમદાવાદમાં મળશે મહામંથન બેઠક
આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ૧૭ મેના રોજ અમદાવાદ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતા અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારીઓ દુર્ગેશ પાઠક અને દિનેશ મોહનિયા સહિતના શીર્ષ નેતાઓ હાજર રહેશે.
મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી લોકોને કોઈ ફાયદો નહીં થાય: ગોપાલ ઇટાલીયા
AAPના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારના પેટ્રોલ-ડીઝલ બચાવવાના દાવાઓ અને 'વર્ક ફ્રોમ હોમ' ની જાહેરાતને પબ્લિસિટી સ્ટંટ ગણાવી છે. ફેસબૂક લાઈવ દરમિયાન તેમણે વહીવટી તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું કે, જો સરકારી કચેરીઓમાં લોકોને ધક્કા ખવડાવવાનું બંધ કરી વ્હોટ્સએપ, એપ્લિકેશન કે મિસકોલ સુવિધા શરૂ કરાય તો અબજોનું ઇંધણ બચી શકે છે.
યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"
AAPના યુવા નેતા યુવરાજ સિંહે NEET પરીક્ષાને ઓનલાઈન (CBT) પદ્ધતિમાં ફેરવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને 'કૌભાંડનું ડિજિટલાઈઝેશન' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પેપર લીક કરનારા માફિયાઓ અને ભ્રષ્ટ વહીવટી તંત્રને સજા આપવાના બદલે પરીક્ષા પદ્ધતિ બદલવી એ માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનો અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
જૂનાગઢમાં AAPની ગર્જના: NEET પેપર લીક મુદ્દે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન
NEET પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) ના જૂનાગઢ શહેર સંગઠન દ્વારા સરદાર બાગ ખાતે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં વિરોધની જ્વાળા: પ્રણવ ગઢવી, કલાપી વારા સહિત ૮ આપ નેતાઓની ધરપકડ
રાજકોટમાં NEET પરીક્ષા રદ થવાના અને પેપર લીક થવાના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP અને યુથ વિંગ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ ડૉક્ટરનો વેશ ધારણ કરી અને પ્રતીકાત્મક રીતે 'જાલમૂરી' વહેંચીને સરકારની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે ભાજપમાં જોડાયેલા પૂર્વ AAP નેતાઓ રાજુ કરપડા અને કરસન બાપુ ભાદરકા પર તીક્ષ્ણ વળતો પ્રહાર કર્યો છે. રામ ધડુકે જણાવ્યું કે AAP ના પ્લેટફોર્મ પરથી ઓળખ મેળવનારા આ નેતાઓ હવે ભાજપના પ્રભાવ હેઠળ આવી પક્ષની ભવિષ્યવાણી કરી રહ્યા છે.
૨૦૧૭ થી ૨૦૨૬ સુધી વારંવાર પેપર લીક છતાં સજા કેમ નહીં? ગૌરી દેસાઈનો સળગતો સવાલ
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ NEET પેપર લીક મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે. ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ ખેલ બદલ તેમણે 'બુલડોઝર એક્શન' અને કડક સજાની માંગણી કરી છે.
અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ NEET પેપર લીક મુદ્દે સરકાર પર ગંભીર નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૩ મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ૨૨ લાખ વિદ્યાર્થીઓના અને તેમના પરિવારોના સપના પર પાણી ફરી વળ્યું છે.
NEET Scam 2026: ૨૩ લાખ વિદ્યાર્થીઓના ન્યાય માટે જનાંદોલન છેલ્લો રસ્તો - બ્રિજરાજ સોલંકી
આમ આદમી પાર્ટીના યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ NEET પેપર લીક મામલે સરકાર, ભ્રષ્ટ પોલીસ અને માફિયાઓની મિલીભગતનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે પેપર લીક એ આ લોકો માટે હજારો કરોડોનો વ્યવસાય બની ગયો છે, જે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યો છે.
ડો. કરન બારોટનો આકરો કટાક્ષ: "NTA નું નામ બદલીને 'નોટ ટ્રસ્ટેબલ એજન્સી' કરી દેવું જોઈએ"
આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ બદલ NTA ને "નોટ ટ્રસ્ટેબલ એજન્સી" ગણાવી છે. તેમણે ૨૦૨૪ ના ડેટા ટાંકીને જણાવ્યું કે NTA ની ૧૪ માંથી ૫ પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ છે, જે ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. ડો. બારોટે ગંભીર આક્ષેપ કર્યો છે કે પકડાયેલા આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન છે.
"ગુજરાતની પેપર લીક સિસ્ટમ હવે કેન્દ્રમાં લાગુ થઈ": NEET મુદ્દે ઈસુદાન ગઢવી લાલચોળ
AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડિયો સંદેશ દ્વારા NEET પેપર લીક અને પરીક્ષા રદ થવાના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ૨૩ લાખ વિદ્યાર્થીઓની બે વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જે દેશ માટે શર્મજનક છે. ગઢવીએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં થયેલા ૨૧ પેપર લીકની મોડસ ઓપરેન્ડી હવે કેન્દ્રમાં પણ જોવા મળી રહી છે.
ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક: NEET વિવાદમાં યોગેશ જાદવાણીએ ભાજપ સરકારને આડે હાથ લીધી
આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા યોગેશ જાદવાણીએ NEET પેપર લીક મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક થયા છે, જેના કારણે ભાજપ હવે "પેપર ફોડ પાર્ટી" તરીકે ઓળખાઈ રહી છે.
યુવરાજસિંહ જાડેજાના સરકાર પર પ્રહાર: "પરીક્ષા રદ કરવી એ સમાધાન નથી, માફિયાઓને જેલમાં મોકલો"
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ NEET ૨૦૨૬ પરીક્ષા રદ થવા મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા રદ કરવી એ કાયમી ઉકેલ નથી; જ્યાં સુધી પેપર લીક માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને કડક સજા નહીં થાય ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહેશે.
ઈસુદાન ગઢવીનો પીએમ મોદી પર વળતો પ્રહાર: “પહેલા સરકાર પોતાના ખર્ચા અને રેલીઓ પર કાપ મૂકે”
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોના અને પેટ્રોલના વપરાશમાં કાપ મૂકવાની અપીલ પર આકરી પ્રતિક્રિયા આપી છે. ગઢવીએ જણાવ્યું હતું કે જો દેશ આર્થિક સંકટમાં હોય તો સરકારે સૌથી પહેલા પોતાના વિમાનો, ભવ્ય રેલીઓ અને બિનજરૂરી ખર્ચ પર રોક લગાવવી જોઈએ.
ભગવંત માન સરકારની નવી વ્યૂહરચના: હરજોત બેન્સ, અમન અરોરા અને સોંધને મળી મોટી જવાબદારી
પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રસ્તાવિત મંત્રીમંડળના વિભાગોની ફેરબદલને મંજૂરી આપી દીધી છે. આ ફેરફાર હેઠળ તરુણપ્રીત સિંહ સોંધને વીજળી વિભાગ, હરજોત સિંહ બેન્સને સ્થાનિક સંસ્થાઓ અને અમન અરોરાને ઉદ્યોગ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે ૨૦૨૨ માં સરકાર બન્યા પછી સ્થાનિક સરકાર વિભાગમાં આ છઠ્ઠી વખત ફેરફાર થયો છે.
પંજાબ સાથે અન્યાય? હજારો કરોડનું ફંડ રોકવા મુદ્દે કેજરીવાલે કેન્દ્ર સરકારને ઘેરી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબના મંત્રી સંજીવ અરોરાના નિવાસસ્થાને થઈ રહેલા EDના દરોડા પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ EDનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓ પર પક્ષ બદલવા દબાણ કરી રહ્યું છે. તેમણે અશોક મિત્તલનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ભાજપમાં જોડાતા જ તપાસ બંધ થઈ જાય છે.
હર્ષ સંઘવીનું રાજીનામું માંગતા ‘આપ’ નેતા બ્રિજરાજ સોલંકી, ડ્રગ્સ મુદ્દે આક્ષેપ
ગુજરાતમાં વધતા ડ્રગ્સ અને દારૂના દૂષણ મુદ્દે આમ આદમી પાર્ટીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું છે. 14 લાખ ગુજરાતીઓ નશાના બંધાણી હોવાનો વિધાનસભાનો આંકડો ટાંક્યો.
મતદાન યાદીમાંથી આખી સોસાયટીના ૧૦૦૦ નામ ગાયબ: ચૂંટણી પ્રક્રિયા સામે ડૉ. કરન બારોટના સવાલો
આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી કથિત ગેરરીતિઓ મુદ્દે સરકાર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૭૦૦થી વધુ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરીને લોકશાહીની હત્યા કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે એક આખી સોસાયટીના ૧૦૦૦ લોકોના નામ મતદાન યાદીમાંથી ગાયબ હોવાના કારણે તેઓ મતાધિકારથી વંચિત રહ્યા હતા.
ઝઘડિયા કાંડ: "પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે", ચૈતર વસાવાનો હુંકાર
ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ તંત્ર સામે મોરચો માંડ્યો છે. 3 FIR બાદ પણ શ્રમિકોના ન્યાય માટે જેલ જવા તૈયાર હોવાની જાહેરાત કરી.