આપ ન્યૂઝ
454 लेख
ચૈતર વસાવા દ્વારા નર્મદામાં યુસીસી બિલનો ઉગ્ર વિરોધ
યુસીસી બિલથી આદિવાસી સમાજ પર જોખમ: ચૈતર વસાવા
'માત્ર વળતર નહીં, વ્યાજ સાથે ચૂકવણી કરો': AAP ખેડૂત નેતા સાગર રબારીનો સરકાર પર પ્રહાર
આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ વાવાઝોડા અને વરસાદને કારણે જીરું, ધાણા, ઇસબગુલ અને કેસર કેરીના પાકને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી છે.
સાવરકુંડલામાં AAP નો દબદબો: મનોજ સોરઠીયાની હાજરીમાં 15 થી વધુ જાણીતા વકીલો 'ઝાડુ' સાથે જોડાયા
સાવરકુંડલામાં AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં ૧૫ થી વધુ નામી વકીલો અને ખેડૂત આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જે આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે મહત્વનું ગણાય છે.
AAP નેતા જયદીપસિંહ ચૌહાણનો ભાજપ પર પ્રહાર: "અરવલ્લીમાં કાર્યકરો પર ખોટા કેસ કરી ડરાવવાનો પ્રયાસ"
આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણે ભાજપ સરકાર પર પોલીસનો દુરુપયોગ કરીને AAP કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
દિલ્હી વિધાનસભામાં હંગામો: આતિશીએ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને AAP ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા કરી માંગ
દિલ્હી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આતિશીએ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને પત્ર લખીને ૪ AAP ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા માંગ કરી છે અને બજેટ સત્રના બહિષ્કારની ચેતવણી આપી છે.
ગુજરાતની આંગણવાડી બહેનો સાથે અન્યાય કેમ? AAP એ વેતન અને પડતર માંગણીઓ મુદ્દે આપ્યો ટેકો
ગુજરાતની આંગણવાડી અને આશાવર્કર બહેનો વર્ષોથી યોગ્ય વેતન અને વિવિધ અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં તેમણે ત્રણ દિવસની હડતાળ અને ગાંધીનગર વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારતા, આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામે આ આંદોલનને પૂરું સમર્થન આપ્યું છે.
ગુજરાતમાં માવઠાનો માર: AAP નેતા સાગર રબારીએ ખેડૂતો માટે તાત્કાલિક સર્વે અને વળતરની કરી માંગ
સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, આંબા, કેળા, ઘઉં અને ચણા જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીશું: અમૃતસરમાં મનીષ સિસોદિયાએ ફૂંક્યું 'નશા વિરુદ્ધ જંગ'નું રણશિંગુંAMT
આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ અમૃતસરમાં આયોજિત કાર્યક્રમમાં 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો એક પણ ગામ કે વોર્ડમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે સાંખી લેવામાં આવશે નહીં.
ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.
કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.
ઘેડમાં ભ્રષ્ટાચાર થયો તો લાઈવ આવીને ખુલ્લા પાડીશ: AAP નેતા પ્રવિણ રામે ફરી નદી યાત્રાની કરી જાહેરાત
આમ આદમી પાર્ટીના કિસાન નેતા પ્રવિણ રામે જેલમુક્ત થયા બાદ ઘેડ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. સરકારે ઘેડ માટે જાહેર કરેલી ₹1423 કરોડની વહીવટી મંજૂરી પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, છ મહિના પહેલા પદયાત્રા વખતે પણ આ જ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. પ્રવિણ રામે માંગ કરી છે કે સરકાર વાહવાહી કરવાનું છોડીને તાત્કાલિક ધોરણે નદીઓ ઊંડી અને પહોળી કરવાનું કામ સમુદ્ર તરફથી શરૂ કરે.
ખોટા આદિજાતિ સર્ટિફિકેટધારકોને તાત્કાલિક બહાર કાઢો: ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહમાં ગજવ્યું મેદાન
આજે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિકાસ બજેટમાં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે 1.25 કરોડની વસ્તી સામે માત્ર 5425 કરોડનું ફંડ અત્યંત ઓછું છે. વસાવાએ ખોટા આદિજાતિ સર્ટિફિકેટ મેળવી નોકરી અને રાજકારણમાં ઘૂસી ગયેલા લોકોને દૂર કરવા, પેસા એક્ટ હેઠળ ગ્રામસભાને સર્વોપરી ગણવા અને વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીઓને જમીનનો સંપૂર્ણ કબજો આપવાની માંગ કરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એ કમર કસી: ગુજરાતભરમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનો ધમધમાટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) એ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા તેજ કરી છે. 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે સ્ક્રુટિની કમિટીઓ દ્વારા દાવેદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ત્યારબાદ, 16 થી 18 માર્ચ દરમિયાન પ્રદેશ કક્ષાએ નામો પર મંથન થશે.
ગુજરાતના મોરબીમાં લાખો લોકો બેરોજગાર: ગેસ કટોકટી મુદ્દે કેજરીવાલનો કેન્દ્ર સામે મોરચો
AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં પ્રવર્તતી LPG કટોકટી માટે કેન્દ્ર સરકારની વિદેશ નીતિને જવાબદાર ઠેરવી છે. તેમણે દાવો કર્યો કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અને અમેરિકાના દબાણ હેઠળ રશિયા પાસેથી તેલ-ગેસની ખરીદી મર્યાદિત કરવાથી દેશને ₹8 ટ્રિલિયનનું નુકસાન થયું છે.
ગુરદાસપુરમાં 'માન' ક્રાંતિ: ₹168 કરોડના ખર્ચે 497 કિમીના રસ્તાઓનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટ્સની ભેટ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુરદાસપુરના કાહનુવાન અને કાદિયન વિસ્તારમાં ₹168.44 કરોડ ના ખર્ચે બનેલા 497 કિલોમીટર ના રસ્તાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાયેલી જનસભામાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે AAP સરકારે મહિલાઓને દર મહિને ₹1,000 આપવાનું વચન પૂર્ણ કર્યું છે.
પંજાબમાં 'માન' સરકારની મોટી ભેટ: મહિલાઓને દર મહિને ₹1000-1500ની સહાય અને ₹10 લાખનો મફત ઈલાજ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ વિધાનસભામાં રાજ્ય સરકારની ચાર વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓ રજૂ કરી છે. તેમણે જાહેરાત કરી કે પંજાબના દરેક પરિવારને હવે ₹10 લાખ સુધીની મફત કેશલેસ સારવાર મળશે, જે માટે 900 હોસ્પિટલોની યાદી તૈયાર છે. મહિલા સશક્તિકરણ માટે દર મહિને ₹1000 થી ₹1500 ની સહાય, મફત વીજળી અને મફત બસ મુસાફરી જેવી સુવિધાઓ અમલમાં છે.
કોમર્શિયલ ગેસના બુકિંગ બંધ! ઇસુદાન ગઢવીની ચેતવણી: "અનેક ફેક્ટરીઓમાં તાળા મારવાની સ્થિતિ"
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગુજરાતના ઉદ્યોગો પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે ગેસ સપ્લાયમાં 50% કાપ મુકવામાં આવ્યો છે અને કોમર્શિયલ ગેસના ભાવમાં ₹114 નો વધારો થયો છે. રાજકોટ અને મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સહિત રાજ્યના અનેક ગેસ આધારિત ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થવાની અને ફેક્ટરીઓને તાળા મારવાની સ્થિતિ ઊભી થઈ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એક્શન મોડમાં: 10 માર્ચથી શરૂ થશે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે દાવેદારો સાથે બેઠકો યોજાશે.