મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

594 लेख
ઈંધણ સંકટ પર રાજકારણ ગરમાયું: આમ આદમી પાર્ટીએ સરકાર પાસે જનતાના વિશ્વાસની માંગ કરી

ઈંધણ સંકટ પર રાજકારણ ગરમાયું: આમ આદમી પાર્ટીએ સરકાર પાસે જનતાના વિશ્વાસની માંગ કરી

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપ પર સર્જાયેલી ગંભીર સ્થિતિ સામે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા પિયુષ પરમારે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખેડૂતોના ટ્રેક્ટરોની દોઢ કિલોમીટર લાંબી લાઈનો અને મધ્યમવર્ગની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા પરમારે જણાવ્યું હતું કે, જનતા લાઈનમાં પરેશાન છે, જ્યારે ભાજપના નેતાઓ ગાયબ છે. ઈંધણ સંકટ મામલે AAP ની સંપૂર્ણ પ્રતિક્રિયા અને આક્ષેપો અહીં વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો ૩ દિવસનો ભવ્ય ગુજરાત પ્રવાસ: મનોજ સોરઠીયાએ જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યૂલ

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો ૩ દિવસનો ભવ્ય ગુજરાત પ્રવાસ: મનોજ સોરઠીયાએ જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યૂલ

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ૨૪, ૨૫ અને ૨૬ મેના રોજ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આપ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષની મજબૂત સ્થિતિ અને નર્મદા જિલ્લા પંચાયતમાં મળેલી ઐતિહાસિક જીત બાદ કેજરીવાલ રાજપીપળામાં ભવ્ય રોડ શો યોજી જનતાનો આભાર માનશે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબ સરકારની કમાલ: 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'માં મળશે ₹10 લાખ સુધીની ફ્રી સારવાર, જાણી લો ફાયદા

પંજાબ સરકારની કમાલ: 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'માં મળશે ₹10 લાખ સુધીની ફ્રી સારવાર, જાણી લો ફાયદા

CM Bhagwant Mann: પંજાબમાં ભગવંત માન સરકારની 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત પંજાબના રહીશો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પ્રતિ પરિવાર દર વર્ષે ₹10 લાખ સુધીનું કેશલેસ (રોકડ રહિત) હેલ્થ કવરેજ પૂરું પાડવામાં આવે છે. કેન્સર, હૃદય રોગ, ડાયાલિસિસ અને જટિલ સર્જરી જેવી ગંભીર બીમારીઓ માટે 839 સરકારી અને ખાનગી સૂચિબદ્ધ હોસ્પિટલોમાં ફ્રી સારવાર ઉપલબ્ધ છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સાગબારામાં કોંગ્રેસને મોટો ઝટકો, અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

સાગબારામાં કોંગ્રેસને મોટો ઝટકો, અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કોંગ્રેસના અનેક નિષ્ઠાવાન અને વરિષ્ઠ આગેવાનો આમ આદમી પાર્ટી (AAP) માં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
કેજરીવાલના નેતૃત્વમાં પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય: ૨૦, ૨૧ અને ૨૨ તારીખે NEET વિદ્યાર્થીઓ માટે બસ પ્રવાસ મફત

કેજરીવાલના નેતૃત્વમાં પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય: ૨૦, ૨૧ અને ૨૨ તારીખે NEET વિદ્યાર્થીઓ માટે બસ પ્રવાસ મફત

ગુજરાતમાં NEET પરીક્ષાનું પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિદ્યાર્થીઓના હિતમાં મોટી માંગ કરી છે. અરવિંદ કેજરીવાલના સૂચનથી પંજાબની AAP સરકારે ૨૦, ૨૧ અને ૨૨ તારીખે NEETના વિદ્યાર્થીઓ માટે માત્ર આઈકાર્ડ બતાવીને સરકારી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સોશિયલ મીડિયા ધ્રુજાવતી યુવા શક્તિ: વધી રહેલી બેરોજગારી સામે દેશભરના યુવાનોમાં ભારે અસંતોષ

સોશિયલ મીડિયા ધ્રુજાવતી યુવા શક્તિ: વધી રહેલી બેરોજગારી સામે દેશભરના યુવાનોમાં ભારે અસંતોષ

આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વિશેષ વીડિયો સંદેશ મારફતે દેશમાં વધી રહેલી બેરોજગારી અને યુવાનોના આક્રોશ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તાજેતરમાં બેરોજગારો અંગે થયેલી 'કોકરોચ' ટિપ્પણીના વિરોધમાં યુવાનોએ સોશિયલ મીડિયા પર "કોકરોચ જનતા પાર્ટી" નામથી એકાઉન્ટ બનાવ્યું છે, જેણે માત્ર બે દિવસમાં ૧૩ મિલિયન (૧.૩ કરોડ) થી વધુ ફોલોઅર્સ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
અમદાવાદમાં AAP નો હલ્લાબોલ: મોંઘવારી અને ડીઝલ સંકટ મુદ્દે કલેક્ટર કચેરી ગજવી, CM ને મોકલ્યું આવેદન

અમદાવાદમાં AAP નો હલ્લાબોલ: મોંઘવારી અને ડીઝલ સંકટ મુદ્દે કલેક્ટર કચેરી ગજવી, CM ને મોકલ્યું આવેદન

ગુજરાતમાં અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમદાવાદ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર સંગઠન મહામંત્રી જતિન પટેલ, મહિલા નેતા નેહાબેન કેવલરામાણી, પ્રદેશ માલધારી સેલ મંત્રી જૈમિન દેસાઈ સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
જૂનાગઢ ખાતે મોંઘવારી મુદ્દે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન

જૂનાગઢ ખાતે મોંઘવારી મુદ્દે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત મુદ્દે વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરીયા અનોખી રીતે ઊંટગાડી અને બળદગાડા સાથે જૂનાગઢ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, "વાવણીની સીઝનમાં ખેડૂતોને ડીઝલ નથી મળતું, જ્યારે ભાજપના સેટિંગવાળાઓ અને કોન્ટ્રાક્ટરોને ખાનગીમાં પુરવઠો મળી રહ્યો છે!

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે AAPનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન

મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે AAPનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 'આપ'ના નેતાઓ અને કાર્યકર્તાઓએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. AAPએ આક્ષેપ કર્યો છે કે પેટ્રોલ-ડીઝલ, દૂધ અને ગેસના અસહ્ય ભાવવધારાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ચૈતર વસાવાની કલેક્ટર બેઠકમાં ગર્જના: નર્મદા જિલ્લાના રોડ, પાણી અને રોજગારના પ્રશ્નો તાત્કાલિક ઉકેલો

ચૈતર વસાવાની કલેક્ટર બેઠકમાં ગર્જના: નર્મદા જિલ્લાના રોડ, પાણી અને રોજગારના પ્રશ્નો તાત્કાલિક ઉકેલો

AAP ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સ્થાનિક પ્રજાના સળગતા પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી છે. તેમણે જિલ્લામાં રોડ, પીવાનું પાણી, હેન્ડપંપ રિપેરિંગ, મનરેગા રોજગારી, ખાતર અને પેટ્રોલ-ડીઝલની અછત જેવા પાયાના મુદ્દાઓ તાત્કાલિક ઉકેલવા માંગ કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAPનો માસ્ટર પ્લાન: ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા અમદાવાદમાં મળશે મહામંથન બેઠક

AAPનો માસ્ટર પ્લાન: ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા અમદાવાદમાં મળશે મહામંથન બેઠક

આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ૧૭ મેના રોજ અમદાવાદ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતા અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારીઓ દુર્ગેશ પાઠક અને દિનેશ મોહનિયા સહિતના શીર્ષ નેતાઓ હાજર રહેશે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી લોકોને કોઈ ફાયદો નહીં થાય: ગોપાલ ઇટાલીયા

મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી લોકોને કોઈ ફાયદો નહીં થાય: ગોપાલ ઇટાલીયા

AAPના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારના પેટ્રોલ-ડીઝલ બચાવવાના દાવાઓ અને 'વર્ક ફ્રોમ હોમ' ની જાહેરાતને પબ્લિસિટી સ્ટંટ ગણાવી છે. ફેસબૂક લાઈવ દરમિયાન તેમણે વહીવટી તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું કે, જો સરકારી કચેરીઓમાં લોકોને ધક્કા ખવડાવવાનું બંધ કરી વ્હોટ્સએપ, એપ્લિકેશન કે મિસકોલ સુવિધા શરૂ કરાય તો અબજોનું ઇંધણ બચી શકે છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"

યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"

AAPના યુવા નેતા યુવરાજ સિંહે NEET પરીક્ષાને ઓનલાઈન (CBT) પદ્ધતિમાં ફેરવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને 'કૌભાંડનું ડિજિટલાઈઝેશન' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પેપર લીક કરનારા માફિયાઓ અને ભ્રષ્ટ વહીવટી તંત્રને સજા આપવાના બદલે પરીક્ષા પદ્ધતિ બદલવી એ માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનો અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
જૂનાગઢમાં AAPની ગર્જના: NEET પેપર લીક મુદ્દે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન

જૂનાગઢમાં AAPની ગર્જના: NEET પેપર લીક મુદ્દે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન

NEET પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) ના જૂનાગઢ શહેર સંગઠન દ્વારા સરદાર બાગ ખાતે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
રાજકોટમાં વિરોધની જ્વાળા: પ્રણવ ગઢવી, કલાપી વારા સહિત ૮ આપ નેતાઓની ધરપકડ

રાજકોટમાં વિરોધની જ્વાળા: પ્રણવ ગઢવી, કલાપી વારા સહિત ૮ આપ નેતાઓની ધરપકડ

રાજકોટમાં NEET પરીક્ષા રદ થવાના અને પેપર લીક થવાના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP અને યુથ વિંગ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ ડૉક્ટરનો વેશ ધારણ કરી અને પ્રતીકાત્મક રીતે 'જાલમૂરી' વહેંચીને સરકારની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર

AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે ભાજપમાં જોડાયેલા પૂર્વ AAP નેતાઓ રાજુ કરપડા અને કરસન બાપુ ભાદરકા પર તીક્ષ્ણ વળતો પ્રહાર કર્યો છે. રામ ધડુકે જણાવ્યું કે AAP ના પ્લેટફોર્મ પરથી ઓળખ મેળવનારા આ નેતાઓ હવે ભાજપના પ્રભાવ હેઠળ આવી પક્ષની ભવિષ્યવાણી કરી રહ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
૨૦૧૭ થી ૨૦૨૬ સુધી વારંવાર પેપર લીક છતાં સજા કેમ નહીં? ગૌરી દેસાઈનો સળગતો સવાલ

૨૦૧૭ થી ૨૦૨૬ સુધી વારંવાર પેપર લીક છતાં સજા કેમ નહીં? ગૌરી દેસાઈનો સળગતો સવાલ

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ NEET પેપર લીક મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે. ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ ખેલ બદલ તેમણે 'બુલડોઝર એક્શન' અને કડક સજાની માંગણી કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ

અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ NEET પેપર લીક મુદ્દે સરકાર પર ગંભીર નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૩ મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ૨૨ લાખ વિદ્યાર્થીઓના અને તેમના પરિવારોના સપના પર પાણી ફરી વળ્યું છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
NEET Scam 2026: ૨૩ લાખ વિદ્યાર્થીઓના ન્યાય માટે જનાંદોલન છેલ્લો રસ્તો - બ્રિજરાજ સોલંકી

NEET Scam 2026: ૨૩ લાખ વિદ્યાર્થીઓના ન્યાય માટે જનાંદોલન છેલ્લો રસ્તો - બ્રિજરાજ સોલંકી

આમ આદમી પાર્ટીના યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ NEET પેપર લીક મામલે સરકાર, ભ્રષ્ટ પોલીસ અને માફિયાઓની મિલીભગતનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે પેપર લીક એ આ લોકો માટે હજારો કરોડોનો વ્યવસાય બની ગયો છે, જે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ડો. કરન બારોટનો આકરો કટાક્ષ: "NTA નું નામ બદલીને 'નોટ ટ્રસ્ટેબલ એજન્સી' કરી દેવું જોઈએ"

ડો. કરન બારોટનો આકરો કટાક્ષ: "NTA નું નામ બદલીને 'નોટ ટ્રસ્ટેબલ એજન્સી' કરી દેવું જોઈએ"

આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ બદલ NTA ને "નોટ ટ્રસ્ટેબલ એજન્સી" ગણાવી છે. તેમણે ૨૦૨૪ ના ડેટા ટાંકીને જણાવ્યું કે NTA ની ૧૪ માંથી ૫ પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ છે, જે ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. ડો. બારોટે ગંભીર આક્ષેપ કર્યો છે કે પકડાયેલા આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા