આઈ.ટી.આઈ દશરથમાં “કૌશલ્ય દીક્ષાંત સમારોહ” યોજાયો
૫૧૮ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ૧૧ ટ્રેડના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા કુલ ૩૪ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચંદ્રક તથા નેશનલ ટ્રેડ સર્ટીફીકેટ અર્પણ કરાયા.
વડોદરા : આઈ.ટી.આઈ દશરથ ખાતે એમ.એસ.ડી.ઇ. દિલ્હીની માર્ગદર્શિકા મુજબ વિવિધ ટ્રેડમાં વર્ષ ૨૦૨૩ માં ઉતીર્ણ થયેલ તાલીમાર્થીઓનો “કૌશલ્ય દીક્ષાંત સમારોહ” યોજાયો હતો. આ સમારોહમાં ૫૧૮ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ૧૧ ટ્રેડનાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ કુલ ૩૪ ઉત્તીર્ણ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચંદ્રક તથા નેશનલ ટ્રેડ સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.
જીએસએફસી લીમીટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો લીમીટેડનાં એપ્રેન્ટિસશીપ ઉત્તીર્ણ તાલીમાર્થીઓને એકમનાં અધિકારીઓ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન તાલીમાર્થીઓ તથા સ્ટાફ દ્વારા દિલ્લી ખાતે યોજાયેલ “કૌશલ્ય દીક્ષાંત સમારોહ”નું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ દીક્ષાંત સમારોહમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર તાલીમાર્થીઓને મેગાટ્રેન્ડ ફેબ્કોન કંપનીના સૌજન્યથી શીલ્ડ તથા પીડીલાઈટ દ્વારા પ્લમ્બર ટ્રેડનાં તાલીમાર્થીઓ માટે ટ્રેની કીટ આપવામાં આવી હતી.
આ સમારોહ મેગાટ્રેન્ડ ફેબ્કોન કંપનીના ડાયરેક્ટ શ્રી સત્યકામ દેસાઈ, આઈ.એમ.સી.ચેરમેન શ્રી પીયુલ શાહ, જી.એસ.એફ.સી.ના સીનીયર મેનેજરશ્રી સુધીરભાઈ જોષી અને પીડીલાઈટના જિલ્લા સુપરવાઈઝર શ્રી યશપાલ પુવાર, રોજગાર અધિકારી શ્રી એ. એલ.ચૌહાણ, આચાર્ય શ્રીમતી એન.સી.ગોહિલ, આઇ.એમ.સી. મેમ્બર્સ,તાલીમાર્થીઓ ઉપસ્થિતિમાં રહ્યા હતા.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.