'ડૂબતા જહાજો લોકોનું ભવિષ્ય નહીં બનાવી શકે' - PM મોદીનો કોંગ્રેસ અને JDS પર પ્રહાર
મોદીએ કહ્યું કે, "કર્ણાટકના લોકોએ કોંગ્રેસ અને જેડી(એસ)ની શોર્ટકટ રાજનીતિથી સાવધાન રહેવું જોઈએ... શોર્ટકટ રાજનીતિએ દેશમાં વોટ બેંકની રાજનીતિને જન્મ આપ્યો છે.
બુધવાર, 3 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કોંગ્રેસ-જેડીએસ પર આરોપ લગાવ્યો કે અગાઉની સરકારોએ શોર્ટકટનો રસ્તો અપનાવ્યો હતો. જેનો ભોગ જનતાએ ભોગવવી પડી હતી. પીએમ મોદીએ કહ્યું કે શાસન માટે 'શોર્ટકટ' માર્ગ અપનાવવાને કારણે દેશમાં વોટ બેંકની રાજનીતિએ જન્મ લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 21મી સદીના યુવાનો આવા લોકોના હાથમાં પોતાનું ભવિષ્ય છોડવા માંગતા નથી. જેઓ ફરિયાદનું રાજકારણ કરે છે. તેમણે કહ્યું કે ભાજપ 'સબકા સાથ, સબકા વિકાસ' દ્વારા 'શોર્ટકટ' રાજનીતિમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું, “કર્ણાટકના લોકોએ કોંગ્રેસ અને જેડી(એસ)ની શોર્ટકટ રાજનીતિથી સાવધાન રહેવું જોઈએ. શોર્ટકટ રાજનીતિએ દેશમાં વોટબેંકની રાજનીતિને જન્મ આપ્યો છે. કૉંગ્રેસની જેમ જ્યારે કોઈ શૉર્ટકટ રાજનીતિ કરે છે ત્યારે સૌથી પહેલું એ વિચારે છે કે સમાજમાં ભાગલા પડવા જોઈએ, સમાજના ટુકડા કરવા જોઈએ, એક જાતિને બીજી જાતિ સાથે લડાવવા જોઈએ, ગામને શહેર સાથે લડાવવા જોઈએ અને ધર્મના નામે લોકોને વહેંચવા જોઈએ.
"કાશ્મીરમાં કેસરની કિંમત ૫ લાખ રૂપિયાને પાર કરી ગઈ છે કારણ કે અફઘાનિસ્તાનથી આયાત બંધ થઈ છે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, જેની અસર કેસરના ભાવ પર પડી. કાશ્મીરી કેસરની ખાસિયત અને બજારની સ્થિતિ વિશે જાણો."
"વાઘા બોર્ડર બંધ થતાં પાકિસ્તાની નાગરિકો અટવાયા. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સિંધુ જળ સંધિ સસ્પેન્ડ. તાજા સમાચાર અને વિગતો જાણો."
"પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા! NIA FIRમાં ચોંકાવનારો ખુલાસો: પાકિસ્તાને આતંકવાદીઓને હથિયાર પૂરા પાડ્યા. હેન્ડલર્સનું ષડયંત્ર અને સીઝફાયર ઉલ્લંઘનની વિગતો જાણો."