Çelebi Indiaએ અમદાવાદમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ એક્સેલન્સમાં વધારો કર્યો
એવિએશન સર્વિસ ઈન્ડસ્ટ્રીનો પાયો Çelebi Indiaએ અમદાવાદમાં તેની ઓપરેશનલ એક્સલેન્સ અને ટકાઉ કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતાનુ નવુ ચેપ્ટર શરૂ કરતાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરીના વિસ્તરણની જાહેરાત કરી છે.
અમદાવાદ, 21 નવેમ્બર, 2023: એવિએશન સર્વિસ ઈન્ડસ્ટ્રીનો પાયો Çelebi Indiaએ અમદાવાદમાં તેની ઓપરેશનલ એક્સલેન્સ અને ટકાઉ કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતાનુ નવુ ચેપ્ટર શરૂ કરતાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરીના વિસ્તરણની જાહેરાત કરી છે. 10 ઓક્ટોબર, 2023ના રોજ, Çelebi ઈન્ડિયાએ થાઈ એર એશિયાની બેંગકોકથી અમદાવાદ સુધી
ફ્લાઇટની સેવા આપી તેની વિશ્વ કક્ષાની ક્ષમતાઓ દર્શાવી હતી. આ ઈવેન્ટ માત્ર સેલેબીના સેવા પ્રત્યેના અતૂટ સમર્પણનું પ્રતીક જ નહિં પરંતુ અગ્રણી એરલાઈન્સ માટે પસંદગીના ગ્રાઉન્ડ હેન્ડલિંગ પાર્ટનર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 6,000થી વધુ કર્મચારીઓની નિપુણ ટીમ સાથે, Çelebi ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઈન્ડિયા ફ્લાઈટ્સ અને મુસાફરોની વધતી સંખ્યાનું સંચાલન કરવામાં મોખરે છે. કંપનીનો પર્યાવરણ પ્રત્યે સભાનતાનો અભિગમ તેના ઇલેક્ટ્રિક ટાર્મેક કોચ, કાર્ગો ટોઇંગ ટગ્સ અને તેના મોટાભાગના ગ્રાઉન્ડ સપોર્ટ સાધનો સાથે પરિપૂર્ણ છે, જે હરિયાળા ભવિષ્ય તરફ ઉડ્ડયન ઉદ્યોગની સફરમાં યોગદાન આપે છે. Çelebi ઈન્ડિયાનો ઉદ્દેશ પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખી તેની સમગ્ર સપ્લાય ચેઈનમાં ટકાઉપણાના તત્વો સાથે એરપોર્ટને પુનઃઆકાર આપવાના અદાણી એરપોર્ટના વિઝન સાથે સંલગ્ન છે. અમદાવાદમાં અદાણી એરપોર્ટ મેનેજમેન્ટની સાથે, Çelebi ઈન્ડિયા વિશ્વ કક્ષાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
Çelebi ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઈન્ડિયાના સીઈઓ તૌસીફ ખાન આ વિઝનને સ્પષ્ટ કરતાં જણાવે છે: “અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરીની માંગમાં વધારો અજોડ સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ કરે છે. થાઈ એર એશિયા સાથેનો અમારો સહયોગ સ્થાનિક એવિએશન ગ્રોથને સરળ અને ટકાઉ બનાવવાનો અમારો સંકલ્પ રજૂ કરે છે.”
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ! અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેન 09663 ઉદયપુરથી 12:25, 26964 અસારવાથી 17:45 (મંગળવાર સિવાય). રૂટમાં હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. 8 કોચ, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, સુરક્ષિત મુસાફરી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.
PM મોદીએ આસામથી ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇ-બસોને લીલી ઝંડી આપી, પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગુજરાતને મોટી ભેટ – આગામી સમયમાં 8 શહેરોમાં 750 બસો દોડશે (વડોદરા 250, રાજકોટ-ભાવનગર-ગાંધીનગર 100, જામનગર-જુનાગઢ 50, ગાંધીધામ 80, નવસારી 20). ₹5450 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. વિગતો જુઓ.
પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં મહાસિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ, યુવાનોને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ. કૈલાશધામ આશ્રમમાં 30 કિ.મી. વિસ્તારમાંથી 20,000+ ભક્તો દર્શન કરે છે. વિગતો જુઓ.