દાહોદ ડાયટ ખાતે 10 મો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલ કાર્યક્રમ યોજાયો
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજિત 10 મો એજ્યુકેશન ફેસ્ટીવલ 2024/25 કાર્યક્રમ યોજાયો હતો.
રિપોર્ટર દિપક રાવલ દ્વારા, દાહોદ લીમખેડા
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજિત 10 મો એજ્યુકેશન ફેસ્ટીવલ 2024/25 કાર્યક્રમ યોજાયો હતો. જેનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે(IAS)ની અધ્યક્ષતામાં યોજાયો હતો.કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરતા તેમને સૌ શિક્ષક ભાઈ-બહેનોને સમગ્ર વર્ષ દરમિયાન વર્ગખંડમાં બાળકો સમક્ષ નવતર અભિગમ થકી વર્ગકાર્ય કરવા પર ભાર મૂક્યો હતો.
10 માં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલ કાર્યક્રમ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી 35 શિક્ષક ભાઈઓ-બહેનો દ્વારા 35 નવતર અભિગમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 10 માં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલ શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા(IAS) પ્રાયોજનાં વહીવટદાર શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીના(IAS),પ્રાંત અધિકારી દાહોદ શ્રી મિલીન દવે,જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ. એલ.દામા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.એ.બારીઆ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર.એ.ગડરિયા,ડાયટ ના પ્રાચાર્ય શ્રી આર.જી.મુનીયા,ઈનોવેશન સેલ કો.ઓર્ડીનેટર શ્રી એમ.એન.ડામોર,ડાયટ પરિવારનાં સભ્યો,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરતાનભાઈ કટારા,જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનાં અધ્યક્ષ શ્રી દેશિંગભાઈ તડવી,બંને સંગઠનોના વિવિધ હોદ્દેદારો,જિલ્લાના દરેક તાલુકાના TPEO, તાલુકાઓના BRC.Co.ઓર્ડીનેટર, CRC.Co.ઓર્ડીનેટર,ઈનોવેટીવ શિક્ષક ભાઈઓ-બહેનો,પ્રદર્શન નિહાળવા આવેલા સારસ્વત ભાઈઓ-બહેનો સહિત બાળકો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.