રાજકોટ ખાતે ૧૬મો રોજગાર મેળો યોજાયો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની હાજરીમાં રાજકોટ ખાતે ૧૬મો રોજગાર મેળો યોજાયો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વ અને "રોજગારીનું સર્જન અને યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાના" તેમના સંકલ્પને સાકાર કરતા, આજે દેશમાં ૪૭ સ્થળોએ ૧૬મો રાષ્ટ્રીય રોજગાર મેળો ભવ્ય રીતે યોજવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા રાજકોટ ખાતે આયોજિત રોજગાર મેળામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રીમતી નિમુબેન બાંભણીયાજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવીન વિચારો અને યોજનાઓને દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર ગણાવતા કહ્યું કે, “રોજગાર મેળા ફક્ત રોજગાર પૂરો પાડવાનું સાધન નથી, પરંતુ આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવા ભારતની કલ્પનાનું પ્લેટફોર્મ છે, જ્યાં યુવાનો આત્મવિશ્વાસ, દેશભક્તિ અને આત્મનિર્ભરતા સાથે પોતાના જીવનની નવી શરૂઆત કરે છે. આ કાર્યક્રમ 'વિકસિત ભારત 2047' તરફ એક નિર્ણાયક
પગલું છે.”
85 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપતા, શ્રીમતી નીમુબેન બાંભણિયાજીએ કહ્યું કે સરકારી સેવાઓ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં લાયક અને પ્રતિભાશાળી યુવાનોને ભાગીદાર બનાવવાનો સરકારનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે રેલ્વે, પોસ્ટ અને બેંક જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં નિયુક્ત યુવાનો હવે દેશની સેવા કરવાની જવાબદારી સંભાળશે.
આ કાર્યક્રમમાં આવેલા સેંકડો યુવાનોનો ઉત્સાહ, આત્મવિશ્વાસ અને દેશભક્તિ દર્શાવે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો મંત્ર "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ" આજે દરેક યુવાનોના મનમાં એક સંકલ્પ બની ગયો છે. યુવાનોની આંખોમાં સપના અને તેમના હૃદયમાં રાષ્ટ્ર સેવાનો જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
નવ નિયુક્ત ઉમેદવારોને તેમની નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવતા શ્રીમતી નીમુબેન બાંભણીયાજીએ કહ્યું, "હું ફક્ત આ યુવા સાથીદારોને જ નહીં પરંતુ તેમના માતાપિતાને પણ અભિનંદન આપું છું, જેમના સમર્થન અને મૂલ્યોએ તેમને આજે આ પદ પર પહોંચાડ્યા છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ યુવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની સેવાને પોતાની પ્રાથમિકતા બનાવશે અને આગામી વર્ષોમાં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે."
આ પ્રસંગે રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી માધવભાઈ દવે, ડી.આર.એમ. શ્રી અશ્વિની કુમાર અને એ.ડી.આર.એમ. શ્રી કૌશલકુમાર ચૌબે વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.