આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો
સ્વચ્છ ભારત મિશન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને સમગ્ર દેશમાં વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા. ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાયેલા સ્વચ્છતા પખવાડીયામાં આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ કામગીરી કરવામાં આવી છે.
આણંદ : સ્વચ્છ ભારત મિશન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને સમગ્ર દેશમાં વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા. ૧૫ મી સપ્ટેમ્બર,૨૦૨૩ થી તા. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાયેલા સ્વચ્છતા પખવાડીયામાં આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ કામગીરી કરવામાં આવી છે.
આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં તમામ વોર્ડમાં સાફ-સફાઇનું કામ કરવાની સાથે શહેરના વધુ અવર-જવરવાળા વિસ્તારોમાં ખાસ સફાઇ ઝુંબેશ હાથ કામગીરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આણંદ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છતા ઝુંબેશમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મહાપુરૂષોની પ્રતિમાઓ, શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો અને મુખ્ય પ્રવેશ માર્ગો વગેરે સ્થળો પર કરવામાં આવેલી સફાઇ કામગીરી દરમિયાન કુલ ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ સ્વચ્છતાલક્ષી કામગીરીમાં નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સીટુસી એનજીઓ, સફાઇ કામદારો સહિત શહેરીજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યાં હતાં.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.