કેવડિયામાં રહેતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીએ વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈ આપઘાત કરતા ગમગીની
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરત શાહ, નર્મદા : તા. ૧૮ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિની એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહ રાઠોડ રહે.કેવડીયા કોલોની કેટેગરી ૩ બ્લોક નં ૧૦ રૂમ નં ૫૫ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે નિશાળ ફળીયુ, ખુટકર ગામ તા શહેરા, જી.પંચમહાલ નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની દીકરી રક્ષા અર્જુન રાઠોડનો ગઈકાલે જન્મદિવસ હતો. અને એ પોતાના જન્મદિવસના કારણે તેની સ્કૂલે ગઈ ન હતી. માટે સ્કૂલે ન જતા તેના પિતાએ ઠપકો આપતા તેને લાગી આવતા કેવડિયા બજારની પાછળમાં આવેલ તેના પિતાના રહેઠાણે દુપટ્ટાનો ફાંસો બનાવી પંખે બાંધી લટકી આત્મહત્યા કરી લેતા તેનું મોત થયું હતું. આ બાબતની કેવડિયા પોલીસને જાણ થતા કેવડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન! 655 વિઘા વિસ્તારમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 12,500 બેડની સુવિધા, 13 કંપનીઓનું ખાતમુહૂર્ત અને રોજગારીની નવી તકો. ગુજરાતના બિઝનેસ હબ વિશે વધુ જાણો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."