ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ, અર્જુન ટાવર ઘાટલોડિયા દ્વારા શહેરના ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં સુઇ જતા શ્રમિકોના પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં તેમજ બિસ્કિટ,ચોકલેટ-વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ : ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ, અર્જુન ટાવર ઘાટલોડિયા દ્વારા શહેરના ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં સુઇ જતા શ્રમિકોના પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં તેમજ બિસ્કિટ,ચોકલેટ-વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી વિક્રમ પટેલે જણાવ્યું હતું કે ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા શહેરમાં આવેલા બોપલ, એસ.પી.રીગ રોડ, એસ.જી. હાઈવે, નારણપુરા, જોધપુર ઘાટલોડિયા, વાસણા તેમજ અમદાવાદ પૂર્વના અમરાઈવાડી, ખોખરા, નિકોલ જેવા વિસ્તારોમાં આવેલા ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં પોતાનું જીવનનિર્વાહ કરતાં શ્રમિક પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં, બૂટ-ચંપલ તેમજ બિસ્કિટ, ચોકલેટ, વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિતરણ માટે ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટને આર્થિક સહયોગ આપવા બદલ શ્રી અંબાલાલ પટેલ - આશિષ પટેલ(અવની જ્યોતિ ફાઉન્ડેશન), દિનેશ ગુપ્તા, હર્ષદ શાહ, કમલેશ પટેલ, હરેશ પટેલ, ચંદ્રિકા ત્રિવેદી, મનીષ સોની, પ્રીતિ પટેલ, અરવિંદ રોહિત, અશોક રાવલ, દિનેશ દેસાઈ, પાર્થિવ પટેલ, ડો શશીન શાહ અને પીયૂષ મોદીનો સંસ્થા આભાર માને છે. ધાબળા વિતરણમાં પ્રેમલ પારેખ, મહેશ પારેખ, વિશ્વ પટેલ, કપિલ કોષ્ટી, મહેશ પરમાર વૈભવ પટેલ, મિત પટેલ, અક્ષત પટેલ અને ધ્રુવ પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.