Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આ યુગલે કર્યો ચમત્કાર ! રૂમમાં માટી વિના રોપ ઉછેરી કરી કાશ્મીરી કેસરની ખેતી

આ યુગલે કર્યો ચમત્કાર ! રૂમમાં માટી વિના રોપ ઉછેરી કરી કાશ્મીરી કેસરની ખેતી

એરોપોનિક્સ પદ્ધતિથી વૈભવ અને આસ્થા પટેલે નાના રૂમમાં કાશ્મીર જેવું વાતાવરણ બનાવી કેસર વાવ્યું. ઘરમાં એક નાના રૂમમાં ૨૦૪૦ બીજ વાવી માત્ર ચાર માસમાં જ યુગલને મળ્યો કેસરનો પ્રથમ પાક.

Vadodara December 30, 2023
આ યુગલે કર્યો ચમત્કાર ! રૂમમાં માટી વિના રોપ ઉછેરી કરી કાશ્મીરી કેસરની ખેતી

આ યુગલે કર્યો ચમત્કાર ! રૂમમાં માટી વિના રોપ ઉછેરી કરી કાશ્મીરી કેસરની ખેતી

વડોદરા: સામાન્ય રીતે કાશ્મીરમાં જ ઉગતા કેસરની ખેતી વડોદરા શહેરમાં ઘરના એક કમરામાં અને તે પણ એરોપોનિક્સ પદ્ધતિથી કરવામાં એક યુગલે સફળતા મેળવી છે. શહેરના સુભાનપૂરા વિસ્તારમાં રહેતા વૈભવ અને આસ્થાએ પોતાના ઘરના ૧૦ બાય ૧૦ના રૂમમાં કેસરની ખેતી કરી ચમત્કાર કર્યો છે.

દુનિયામાં જેની સૌથી વધુ માંગ રહે છે, એવા કેસરની ખેતી સામાન્ય રીતે કાશ્મીરમાં થાય છે. ત્યાંનું કુદરતી વાતાવરણ અને આબોહવા કેસરની ખેતી માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તે વિસ્તારમાં વધુ થાય છે. પણ હવે આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી કાશ્મીર બહાર પણ કેસરની ખેતી કરવાના સફળ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જેમાં વડોદરાના એક યુગલે આવો એક પ્રયોગ હાથ ધરી કાશ્મીરી કેસરની સફળ ખેતી પોતાના ઘરમાં કરી બતાવી છે.

પૂણેની સિમબાયોસિસ સંસ્થામાં બીબીએ થયેલા વૈભવ પટેલ આમ તો ટ્રેડર્સ, શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે, તેમના પત્નીએ આણંદની ઇરમામાંથી એમબીએની પદવી હાંસલ કરી ખાનગી સંસ્થામાં રિસર્ચ કાર્ય કરી રહ્યા છે. બન્નેને કૃષિમાં નવા પ્રયોગો કરવાનો શોખ છે.

આ યુગલે પોતાના ઘરમાં એક કમરામાં કાશ્મીરથી ૪૦૦ ગ્રામ બિયારણ ખરીદી કેસરના ૨૦૪૦ જેટલા પ્લાન્ટ વાવ્યા છે. આ પ્લાન્ટનું જતન એરોપોનિક્સ પદ્ધતિથી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બીજને જરૂરી ભેજ સાથે સતત હવા આપીને ઉછેરવામાં આવે છે. એક વખત બીજમાંથી અંકુર નીકળ્યા બાદ તેને જરૂરી પોષક તત્વો હવાના માધ્યમથી આપવામાં આવે છે. તાપમાન, ભેજનું પ્રમાણ જાળવવા માટે ખાસ કાળજી રાખવી પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો માટી વિના ખેતી કરવામાં આવે છે. અલબત, આ યુગલે લણણી કર્યા બાદ છોડને જીવંત રાખવા માટે રોપને માટીમાં રોપ્યા છે.

કાશ્મીરી કેસરની ખેતીને જમ્મુ કાશ્મીરમાં જે હવામાનમાં કરવામાં આવે છે, તેવું માફકસરનું વાતાવરણ રૂમમાં યંત્રોથી મદદથી ઉભું કર્યું છે. પોતાની ૧૦ બાય ૧૦ની રૂમમાં પાંચ ડિગ્રી સેલ્સીયસથી ૨૫ ડિગ્રી સુધીનું તાપમાન આ કમરામાં જાળવવામાં આવે છે. આ માટે ચિલર મશીન, ભેજ સંતુલિત રાખવા માટે હ્યુમિડાઇફર, ઇન્સ્યુલેશનના મશીન ગોઠવ્યા છે. જેના કારણે આ રૂમમાં કાશ્મીર જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મૃત્યુ પછી આત્માને પ્રેત યોનિ કેમ મળે છે, ગરુડ પુરાણમાં શું લખ્યું છે?
ahmedabad
June 14, 2025

મૃત્યુ પછી આત્માને પ્રેત યોનિ કેમ મળે છે, ગરુડ પુરાણમાં શું લખ્યું છે?

ગરુડ પુરાણમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે  પ્રેત યોનિ મેળવવી એ વ્યક્તિના જીવનકાળ દરમિયાનના કર્મો, મૃત્યુની પરિસ્થિતિઓ અને તે પછી કરવામાં આવેલા અંતિમ સંસ્કાર પર આધાર રાખે છે. આ આત્માની અશાંતિ અને અતૃપ્ત ઇચ્છાઓનું પરિણામ છે. પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્માને પ્રેત યોનિ કેમ મળે છે?

દાળ-ભાતના પાણીથી લઈને છાલ સુધી, તેને ફેંકો નહીં, તેનો આ રીતે ઉપયોગ કરો
new delhi
June 14, 2025

દાળ-ભાતના પાણીથી લઈને છાલ સુધી, તેને ફેંકો નહીં, તેનો આ રીતે ઉપયોગ કરો

રસોડામાં કામ કરતી વખતે, ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જેને આપણે નકામી સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ ચા પત્તીથી લઈને છાલ સુધી... તમે આ નકામી કચરાની વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો અને તમારા ઘણા કામ પણ થઈ જશે.

ભારતના નેતાઓની વિમાન દુર્ઘટનાઓ: જાણો રૂપાણીથી સિંધિયા સુધીની ઘટનાઓ
ahmedabad
June 13, 2025

ભારતના નેતાઓની વિમાન દુર્ઘટનાઓ: જાણો રૂપાણીથી સિંધિયા સુધીની ઘટનાઓ

ભારતમાં નેતાઓની ભીષણ વિમાન દુર્ઘટનાઓની વિગતો જાણો, જેમાં વિજય રૂપાણી, સંજય ગાંધી, માધવરાવ સિંધિયા સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ઐતિહાસિક ઘટનાઓ અને તેના કારણો વિશે વાંચો.

Braking News

જાફરાબાદ નવા બ્રિજ ઉપર રોડ રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ યમદૂત સમાન
જાફરાબાદ નવા બ્રિજ ઉપર રોડ રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ યમદૂત સમાન
August 24, 2024

ધમધમતા ટ્રાફિકમાં અકસ્માતે નિર્દોષોનો ભોગ લેવાય તે પહેલાં રોડ રસ્તાઓ પરથી પશુઓને અન્ય ખસેડવાની માંગ ઉઠી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express