નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સ્વાગતમાં ઉપસ્થિત રહેલા ૦૮ જેટલા અરજદારોના પ્રશ્રનોને વાચા આપીને હકારાત્મક નિકાલ સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું.
રાજપીપલા : નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ અને પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેની સંયુક્ત અધ્યક્ષતામાં આજે જિલ્લા કલેક્ટર કચેરી
ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ હેતુથી દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા આ સ્વાગત કાર્યક્રમમાં આ વખતે કુલ ૧૨ અરજદારોએ પ્રશ્નો મૂક્યા હતા. જે પૈકી આજરોજ સ્વાગત કાર્યક્રમમાં ૦૮ જેટલા અરજદારો ઉપસ્થિત રહેતા તેમના પ્રશ્રનોને વાચા આપીને જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આજના આ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યત્વે જિલ્લાના નાગરિકો દ્વારા નર્સિંગ મેડિકલ કોલેજની મેસ અને સિવિલ હોસ્પિટલ તેમજ તેને હસ્તક ચાલતી ચા- નાસ્તા અને ભોજનની વ્યવસ્થાના કેટરિંગના ટેન્ટરિંગ, સોલર એનર્જી અંતર્ગત સોલાર પેનલ, પીવાના પાણી, પશુ પાલ યોજના સહિતના વિવિધ પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ તમામ અરજદારોને વ્યક્તિગત રીતે વિગતે સાંભળી ઉચ્ચ અધિકારીશ્રીઓએ અરજદારોની અરજીને આવકારી કેટલાંક પ્રશ્નોનો ત્વરિત સ્થળ પર નિવારણ કરી કેટલાંક નિતી વિષયક
પ્રશ્નોના યોગ્ય નિકાલ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. ઉપરાંત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને અરજદારોની અરજીઓમાં આવતા અવરોધોનો યોગ્ય નિકાલ કરી ત્વરિત અસરથી નિરાકરણ લાવવા તાકિદ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેશ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને પોતાના
પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જિલ્લાના અરજદારો હાજર રહ્યાં હતા.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.