હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો
મેળામાં આજુબાજુના ચંદ્રુમાણા ખારીઘારીયાલ માલસુંદ સાંકરા કુરેજા કુણઘેર સહિત પાટણ પંથકના લોકોએ મેળાનો લાભ લીધો હતો.
હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો હતો આ મેળામાં આજુબાજુના ચંદ્રુમાણા ખારીઘારીયાલ માલસુંદ સાંકરા કુરેજા કુણઘેર સહિત પાટણ પંથકના લોકોએ મેળા નો લાભ લીધો હતો.
આ મેળામાં ચકરડી ચકડોળ ખાણીપીણી ની દુકાનો મંડાઇ હતી કોઈપણ પ્રકારનું અનિશ્ચિતલીય ઘટના કે બનાવ ન બને તે માટે હારીજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ દુધેશ્વર શિવાલય અઢીસો વર્ષે પહેલા ગાઢ જંગલ સમા વગડામાં નજીકમાં આવેલા ચંદ્રુમાણા ગામની ગાયો ચરવા માટે આવતી હતી એક ગાય એક વૃક્ષના ઝાડ નીચે તેના દૂધનો અભિષેક કરતી હતી રોજ આવી ઘટના બનતા ગાયના માલિક અને માલિક વચ્ચે ગાયના દૂધ માટે માથાકૂટ થઈ હતી કે તું અમારું દૂધ દોહી લે છે ક્યારે ગોવાળી એક દિવસ માલિકની સાથે રાખી આ ગાય ક્યાં જાય છે અને શું પરિસ્થિતિ સર્જાય છે તેનું નિરીક્ષણ કરતા આ ગાય હાલમાં જ્યાં દુધેશ્વર શિવાલય બનાવ્યો છે.
તે જગ્યા ઉપર વગડો હતો અને ત્યાં એક ઝાડ નીચે તેના દૂધનો અભિષેક કરતી હતી ગાય માલિક અને ગોવાળ બંને આશ્ચર્ય પામી ગયા ગયા જેની વાત નજીકમાં જ રહેતા ગેંડા ગીરીબાપુ ને કરતા તે જગ્યા ઉપર ખોદવામાં આવતા સ્વયં શિવલિંગ નીકળ્યું હતું અને પછી ત્યાં દુધેશ્વર મહાદેવ ની સ્થાપના નાના મંદિરથી કરાઈ હતી પરંતુ કે પછી ગાયકવાડ મહારાજા આ સ્થળ ઉપર આવ્યા હતા અને તેમણે દુધેશ્વર શિવાલય બનાવી આજુબાજુની 300 વીઘા જમીન દૂધેશ્વર મહાદેવ જાળવણી અને નિભાવ થાય તે માટે આપવામાં આવી હતી આજે આ જગ્યા દૂધેશ્વર મઠ જાગીર તરીકે ઓળખાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ મહિનાની અમાવસ્યાના દિવસે મેળો ભરાય છે ને જેનો આજુબાજુના 10 થી 12 ગામના શિવભક્તો લાભ લઈને ધન્યતા અનુભવે છે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 18 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્ક ફોર્સે તારીખ 16મી જૂન, 2025 ના રોજ GST કર વ્યવસ્થાની સિદ્ધિઓ, પડકારો અને ભાવિ રોડમેપ વિશે ચર્ચા કરવા માટે એક GST કોન્ક્લેવનું આયોજન કર્યું હતું.
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ કેમ ક્રેશ થઈ તે પ્રશ્ન હજુ પણ વણઉકેલાયેલો છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે જરૂરી બ્લેક બોક્સ પહેલાથી જ મળી ગયું હતું. હવે કોકપીટ વોઇસ રેકોર્ડર પણ મળી આવ્યું છે. ચાલો જાણીએ કે કોકપીટ વોઇસ રેકોર્ડર કયા પ્રકારના ખુલાસા કરી શકે છે.