ખેડૂતોના અધિકાર માટે મહાસંગ્રામ! AAPની ચડોતર કિસાન મહાપંચાયત
30 નવેમ્બરે સવારે 10 વાગ્યે પાલનપુર ચડોતર પાસે AAPની વિશાળ કિસાન મહાપંચાયત. ઈસુદાન ગઢવીએ ખેડૂતો, માલધારીઓ, પશુપાલકોને અત્યાચાર વિરુદ્ધ એક થવા આહ્વાન કર્યું.
અમદાવાદ/બનાસકાંઠા/ગુજરાત : આમ આદમી પાર્ટી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે. આમ આદમા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુ એક કિસાન મહાપંચાયતનું એલાન કરતા જણાવ્યું હતું કે, 30 નવેમ્બરે સવારે 10:00 કલાકે પાલનપુરના ચડોતર પાસે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદના કડદા કાંડથી શરૂ થયેલા આંદોલનને વેગ આપવા માટે આમ આદમી પાર્ટી વિવિધ જિલ્લાઓમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપ સતત ખેડૂતો સાથે અન્યાય કરતી આવી છે. જેના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહ્યું છે. જેના ભાગરૂપે પાલનપુરના ચડોતર પાસે વધુ એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીનું સર્વ પ્રદેશ નેતૃત્વ ત્યાં હાજર રહેશે હું પણ ત્યાં હાજર રહીશ. હું સર્વ ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે આપણે આપણા ખેડૂતોના મુદ્દે, માલધારીઓના મુદ્દે, પશુપાલકોના મુદ્દે, આપણી ઉપર સતત અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે.તો આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે સર્વ ખેડૂતોને હું આમંત્રણ પાઠવું છું.
ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.
બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.