ગણેશોત્સવ પર્વને લઈને પ્રવેશદ્વાર વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ગણેશોત્સવ પર્વ નિમિત્તે તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
ગણેશોત્સવ પર્વ નિમિત્તે તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આવનાર ગણેશોત્સવ પર્વને લઈને વઘઈ પોલીસ મથકે ગામના આગેવાનો અને અલગ અલગ ગણેશ મંડળ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે પી.આઇ. ડી. ડી.પરમાર અને પી.એસ.આઇ.પી.બી.ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.જેમાં પોલીસે ગણેશોત્સવનો તહેવાર આવતો હોવાથી શાંતિપ્રિય માહોલમાં ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
ગણેશોત્સવ દરમિયાન ગણપતિ સ્થાપના માટે પરવાનગી કેવી રીતે લેવી ? ગણેશ સ્થાપના સમયે કઈ કઈ તકેદારી રાખવી વગેરે મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની પીઓપી ની મૂર્તિ નો સ્થાપક નહીં કરી માટેની મૂર્તિની સ્થાપના કરવા માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ગણેશ મંડળ આયોજકોને વઘઈ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.