છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુરના તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામકશ્રી એમ.એમ. પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
કમલેશ પટેલ. સંખેડા : છોટાઉદેપુરના તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામકશ્રી એમ.એમ. પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજીત કાર્યક્રમ છોટાઉદેપુર, કવાંટ અને પાવી જેતપુર તાલુકાના ખેડૂતો માટેનો હતો. જેમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ થયેલા ખેડૂતો, વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને આત્માના અધિકારી દ્વારા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે પરીસંવાદ કર્યો હતો. સાથે સાથે કાર્યક્રમમાં ૧૦ જેટલા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત શાકભાજીઓ, કઠોળ અનાજ, જીવામૃત, ઘનજીવામૃત, જેવી બનાવવા માટેનું પ્રદર્શનોના સ્ટોલ પણ મુકવામાં આવ્યા હતા.
તા.૧૯ના રોજ બોડેલી એપીએમસી ખાતે નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકાના ખેડૂતો માટે કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ – કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.