જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ધોકડવા ગામે રાત્રીસભા યોજાઈ
કલેક્ટર રાત્રીસભામાં ગ્રામજનોના ગૌચર દબાણ, રોડ-રસ્તા, પાણી, જર્જરિત ટાકો, પંચાયત ઘર, બસ સ્ટેન્ડ, આંગણવાડી,પીજીવીસીએલ સહિતના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતાં અને ઉકેલ લાવવા જણાવ્યું હતું.
ગીર સોમનાથ :ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ગ્રામજનોના દ્વાર સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની આહીર સમાજની વાડી ખાતે રાત્રીસભા યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ રાત્રીસભામાં ગ્રામજનોના ગૌચર દબાણ, રોડ-રસ્તા, પાણી, જર્જરિત ટાકો, પંચાયત ઘર, બસ સ્ટેન્ડ, આંગણવાડી,પીજીવીસીએલ સહિતના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતાં અને ઉકેલ લાવવા જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, નાગરીકોને પડતી મુશ્કેલીઓ અને ગૌચર, ગંદકી સહિતના પ્રશ્નોની રજૂઆતો પર પૂરતું ધ્યાન આપી તેનું હકારાત્મક નિરાકરણ આવે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે. ગામ લોકોની મળેલી રજૂઆતો બાબતે કલેકટરશ્રીએ ગામનો વિકાસ થાય તે દિશામાં પારદર્શક રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્ય કરવામાં આવશે તેમજ ગ્રામજનો પણ સંકલન રાખીને ગામનો વિકાસ થાય તે દિશામાં કાર્ય માટે તંત્રને સહયોગ આપે તેમ વધુમાં ઉમેર્યું હતું
રાત્રી સભા પૂર્ણ થયા બાદ સ્થળ પર જ જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆતોનો ઉકેલ ત્વરિત રીતે આવે તે માટે અધિકારીશ્રીઓ સાથે બેઠક કરીને સંબંધિત વિભાગને કાર્યવાહી કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
આ રાત્રી સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, ઉના ધારાસભ્ય શ્રી કે.સી.રાઠોડ, ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભગવતીબેન સાંખટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપરકર, અધિક નિવાસી કલેકટર શ્રી રાજેશભાઈ આલ, ઉના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણીયા, ગીર ગઢડા મામલતદાર શ્રી ગૌતમભાઈ વાળા સહિતના સંબંધની વિભાગના અધિકારીશ્રીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.