ડેન્ગ્યુનાં વાવર ટાણે રાજપીપળાની એક ખાનગી લેબમાં ખોટા રિપોર્ટ અપાતા હોવાની બૂમ : પગલાં જરૂરી
સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં કુલ આઠ ડેન્ગ્યુનાં કેસ નિકળ્યા, રાજપીપળાની એક ખાનગી લેબોરેટરીની ડોકટરો સાથે સાઠગાંઠ હોય તે ડેન્ગ્યુનાં ખોટા રિપોર્ટ આપી દર્દીઓને છેતરતા હોવાની બૂમ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે તેવામાં નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડ્યા બાદ રોગચાળોનાં ફાટે એ માટે આરોગ્ય વિભાગ તકેદારી લઈ રહ્યું છે પરંતુ હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ડેન્ગ્યુનાં દર્દીઓ નિકળતાં આરોગ્ય વિભાગે તેનો સર્વે પણ શરૂ કર્યો છે.
સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં ડેન્ગ્યુનાં આઠ દર્દીઓ સામે આવ્યા છે.આ સરકારી લેબોરેટરીનાં ટેસ્ટ મુજબ છે પરંતુ અમુક ખાનગી લેબનાં રિપોર્ટ ખોટા બનતા હોવાની બૂમો પણ સંભળાઈ રહી છે જેમાં રાજપીપળામાં આવેલી એક ખાનગી લેબોરેટરીમાંથી ડેન્ગ્યુ ટેસ્ટનાં લગભગ બધા રિપોર્ટ પોઝિટિવ બતાવવામાં આવે છે અને અમુક ડોકટર સાથે સાઠગાંઠ કરી તગડી કમાણી થઈ રહી હોવાની બૂમ ઉઠવા પામી છે ત્યારે જો આ વાત માં થોડું પણ તથ્ય હોય તો આરોગ્ય વિભાગે આવી લેબની સામે પગલાં લઈ કડક કાર્યવાહી કરવી બને છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં માત્ર આઠ ડેન્ગ્યુનાં પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે ત્યારે ખાનગી લેબનાં રિપોર્ટ મુજબ તો ખાસ કરીને રાજપીપળા શહેરમાં અનેક દર્દીઓ ડેન્ગ્યુ પોઝીટીવ નિકળ્યા હશે ત્યારે આવા ખોટા રિપોર્ટ બનાવી તગડી કમાણી કરવાનો આશય રાખતા તત્વો જો તપાસ બાદ કસૂરવાર ઠરેતો નિયમ મુજબ આવી લેબ સામે કડક કાર્યવાહી કરી સિલ મારવી જોઈએ તેવું સ્થાનિક આગેવાનો નું માનવું છે.
જોકે આ ખાનગી લેબ ખોટા રિપોર્ટ બનાવે છે એ મુદ્દે અમે આરોગ્ય નાં એક અધિકારી સાથે ચર્ચા કરી તો તેમને ઓફ ધ રેકોર્ડ આ વાતને સાચી બતાવી જણાવ્યું કે અમારી પાસે પણ આ લેબની ફરિયાદો આવી છે માટે અમે આ માટે તપાસ કરી જરૂરી પગલાં લઈશું.પરંતુ અમે ડેન્ગ્યુ કે અન્ય કોઈપણ મોટા રોગમાં ખાનગી રિપોર્ટ માન્ય નથી રાખતા અને અમે દર્દી ને સરકારી દવાખાનામાં જ રિપોર્ટ કરાવવા જણાવીએ છીએ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.