ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને ARTO નાં સંયુક્ત ઉપક્રમે ઉના ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો
માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન.
ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને એ.આર.ટી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે ઉના ટાવરચોક ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતુ. એ.આર.ટી.ઓ. વાય.એચ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ જાગૃતિ યુવા કલા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ નાટકના માધ્યમથી વાહન ચલાવતા સમયે હેલ્મેટ, સીટબેલ્ટ, રોન્ગ સાઇડમાં સર્વીસ લાઇનનો ઉપયોગ કરવા અને ગતી મર્યાદામાં વાહન ચલાવવા સહિતની તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી.
માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવેલ છે. ઉના ખાતે યોજાયેલ માર્ગ સલામતી જન જાગૃતિ નાટક પ્રસંગે એ.આર.ટી.ઓ. કચેરીના શ્રી જી.પી.માંગુકીયા અને એચ.એમ.ગોહીલ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગીર-સોમનાથ તા. -૧૨, ગીર-સોમનાથ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૬-૦૯-૨૦૨૩ નાં રોજ ૧૧:૦૦ કલાકે જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે યોજાશે. જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ બેઠકમાં સબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"