ભુજ તાલુકામાં ગણપતિ ઉત્સવ દરમિયાન ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની
સૂરજપર ગામના સુવર્ણકારો સાથે સંકળાયેલા યુવા કાર્યકરો દ્વારા પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.
મહેશ સોની નખત્રાણા દ્વારા: ભુજ તાલુકાના સૂરજપર ગામના સુવર્ણકામ સાથે સંકળાયેલ યુવા કાર્યકર પરેશ ભાઈ સોની, દીપક ભાઈ હલાઈ, મિલન ભાઈ સોની એ ચંદ્રયાન -૩ની સફળતાથી પ્રેરાઈને ગણપતિ મહોત્સવ દરમ્યાન ચંદ્રયાન-૩ની બનાવેલ પ્રતિકૃતિ અહીં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રતિકૃતિ નિહાળવા તેમજ ગણપતિ મહારાજના દર્શનાર્થે આજુબાજુના કેરા, બળદિયા, નારાણપર સહિતના ગામોના વિશાળ સંખ્યામા ભાવિક લોકો ઉમટી પડે છે.
ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં મહાઆરતી, રાસ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેલ્લા 26 વર્ષે થી નવરાત્રી મંડળ ની આગેવાની હેઠળ ઉત્સવ નું સફળતા પૂર્વક આયોજન થઈ રહ્યું છે જેમાં વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ દેવસીભાઈ રામજી મુરજી, નારણ ભાણજી, મનજી મેઘજી તથા વાલજી પરબત સહિતના ટ્રસ્ટીઓ તેમજ ગામના યુવાન ભાઈઓ બહેનો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી વાતાવરણની શરૂઆત થતા ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આગામી પાંચ દિવસમાં, રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે, અને ઘણા વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગઈકાલે, 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો,
GST અને IT વિભાગે ગીર સોમનાથ અને દ્વારકામાં હોટલ અને રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં કથિત રીતે યોગ્ય બિલિંગ વિના કરવામાં આવેલા રોકડ વ્યવહારોને લક્ષ્યાંકિત કરવામાં આવ્યા હતા.
રાજકોટના TRP ગેમઝોન ખાતે આગની દુ:ખદ ઘટના બાદ ક્રાઈમ બ્રાંચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ નિર્ણાયક કાર્યવાહી કરી હતી.