એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું
એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ.આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ને માર્ગદર્શન આપવામાં આવ્યું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ.આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ને માર્ગદર્શન આપવામાં આવ્યું. પોતાના વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના ગામના લોકો સુધી પહોચે તે બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી, શિક્ષણમંત્રી કુબેર ડીંડોરજી , પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરીજી, વિધાનસભા દંડક વિજયભાઈ પટેલ, રમતગમત સેલ પ્રદેશ સંયોજક ભૂપતસિંહ વસાવા, પૂર્વ આદિજાતિ મંત્રી નરેશ પટેલ, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત રાજ્યભર માંથી એક હજારથી વધારે કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.
સરકારના લાભો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોચાડવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્ત્વ હેઠળ પ્રદેશ આદિજાતિ મોરચાનું આયોજન કરવામાં આવ્યું. નર્મદા પ્રભારી હર્ષદભાઈ ચૌધરીનું માર્ગદર્શન મળ્યું.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.