બાગાયત વિભાગની 'અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ' હેઠળ માળી કામની ત્રિ-દિવસીય તાલીમ
યોજનાકીય લાભો માટે તા.૨૨ સપ્ટેમ્બર સુધીમાં I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી આવશ્યક.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત વિભાગની “અર્બન ગ્રીન મિશન કાર્યક્રમને અનુલક્ષીને ત્રિ-દિવસીય માળીકામ માટેની કૌશલ્યવર્ધન
તાલીમ આપવામાં આવશે. જેમાં તાલીમ સહિત ગાર્ડન ટુક કીટ અને વૃત્તિકા તાલીમાર્થીને મળવાપાત્ર રહેશે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ૧૮ થી ૪૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઇચ્છુક અરજદારોએ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, જાતીના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રાજપીપલા-જિ.નર્મદા ખાતે જમા કરાવવાની રહેશે.
ઉપરાંત, યોજનાની વધુ માહિતી મેળવવા માટે www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ તેમજ ૦૨૬૪૦-૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવા અંગે નાયબ બાગાયત નિયામકશ્રી, રાજપીપલા,
જિ.નર્મદા તરફથી મળેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.