આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર તાલીમ યોજાઈ
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્થિત બી.એ. કૃષિ મહાવિદ્યાલયના એઆઈસીઆરપી- વીડ મેનેજમેન્ટ દ્વારા “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર યુનિવર્સિટીના કુલપતિશ્રી.ડૉ.કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ અનિકેત ખેડૂત છાત્રાલય ખાતે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્થિત બી.એ. કૃષિ મહાવિદ્યાલયના એઆઈસીઆરપી- વીડ મેનેજમેન્ટ દ્વારા “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ અનિકેત ખેડૂત છાત્રાલય ખાતે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એઆઈસીઆરપી-વીડ મેનેજમેન્ટના એગ્રોનોમીસ્ટ શ્રી.ડી. ડી. ચૌધરી દ્વારા તાલીમના મુખ્ય હેતુઓ અને ઉપયોગીતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત એઆઈસીઆરપી- વીડ મેનેજમેન્ટ વિભાગની યોજનાકીય પ્રવૃત્તિઓ તેમજ નીંદણ નિયંત્રણ અંગે ટેકનિકલ તેમજ પ્રાયોગિક માહિતી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા નીંદણની ઓળખ અને તેનાથી થતું નુકસાન, હઠીલા અને પરોપજીવી નીંદણનું નિયંત્રણ, નીંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ તેમજ સંકલિત નીંદણ વ્યવસ્થાપન, નીંદણમાં નિયંત્રણ અંગેની ભલામણો, નીંદણ નાશકોની સૂક્ષ્મજીવાણું પર થતી અસરો, નીંદણ નાશકો અને તેના ઉપયોગમાં રાખવાની કાળજી, નીંદણ નાશકોના અવશેષો અને તેનું નિવારણ, સજીવ અને પ્રાકૃતિક કૃષિમાં નીંદણ નિયંત્રણ, નીંદણ નાશકોના છંટકાવનું પ્રાયોગિક નિદર્શન વગેરે જેવા વિષયો પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા એઆઈસીઆરપી-વીડ મેનેજમેન્ટનાં ફાર્મ, સરદારપટેલ એગ્રીકલ્ચર એજ્યુકેશન મ્યુઝીયમ અને સૂક્ષ્મ જીવાણુંશાસ્ત્ર વિભાગની મુલાકાત કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં વડનગર તાલુકાના કુલ-૨૭ ખેડૂતોએ ભાગ લીધો હતો તેમજ તેમણે નીંદણ વ્યવસ્થાપનમાં તેમજ ખેતી ખર્ચ ઘટાડવામાં આ તાલીમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.