આર્ટસ કોલેજ લીમખેડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે અગ્નિવીર તરીકે પસંદગી પામેલા કોલેજના છ એનસીસી કેડેટ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ અને તેનું જતન કરવાની જરૂરિયાત વિશે વક્તવ્ય આપ્યું હતું.
દિપક રાવલ દાહોદ: લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ કોલેજ લીમખેડા ખાતે કોલેજના એન. સી. સી., એન.એસ. એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ', 'મેરી મીટ્ટી મેરા દેશ' અને 'પંચ પ્રકલ્પ'અંતર્ગત રેન્જ ફોરેસ્ટ ઓફિસ લીમખેડાના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના પ્રથમ ચરણમાં કોલેજના સભાખંડમાં કોલેજના એન.સી.સી.ના અગ્નિવીર તરીકે પસંદગી પામેલ 6(છ) કેડેટ્સને કોલેજ પરિવાર વતી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે કોલેજ સંચાલક મંડળના પ્રમુખશ્રી ધનાભાઈ ભરવાડ, મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ, રેન્જ ઓફિસર લીમખેડા શ્રીમતી સુરેખાબેન નીનામા, સભ્યશ્રી ડાહ્યાભાઈ ભરવાડ,ઇન્ચાર્જ પ્રિ. જેન્તીભાઈ પરમાર, કોલેજના અધ્યાપકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો એ વૃક્ષોનું માનવ જીવનમાં મહત્વ તેનું જતન, વૃક્ષારોપણ વગેરે વિષય પર પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન કોલેજના એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર કમલેશ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.