આર્ટસ કોલેજ લીમખેડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે અગ્નિવીર તરીકે પસંદગી પામેલા કોલેજના છ એનસીસી કેડેટ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ અને તેનું જતન કરવાની જરૂરિયાત વિશે વક્તવ્ય આપ્યું હતું.
દિપક રાવલ દાહોદ: લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ કોલેજ લીમખેડા ખાતે કોલેજના એન. સી. સી., એન.એસ. એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ', 'મેરી મીટ્ટી મેરા દેશ' અને 'પંચ પ્રકલ્પ'અંતર્ગત રેન્જ ફોરેસ્ટ ઓફિસ લીમખેડાના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના પ્રથમ ચરણમાં કોલેજના સભાખંડમાં કોલેજના એન.સી.સી.ના અગ્નિવીર તરીકે પસંદગી પામેલ 6(છ) કેડેટ્સને કોલેજ પરિવાર વતી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે કોલેજ સંચાલક મંડળના પ્રમુખશ્રી ધનાભાઈ ભરવાડ, મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ, રેન્જ ઓફિસર લીમખેડા શ્રીમતી સુરેખાબેન નીનામા, સભ્યશ્રી ડાહ્યાભાઈ ભરવાડ,ઇન્ચાર્જ પ્રિ. જેન્તીભાઈ પરમાર, કોલેજના અધ્યાપકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો એ વૃક્ષોનું માનવ જીવનમાં મહત્વ તેનું જતન, વૃક્ષારોપણ વગેરે વિષય પર પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન કોલેજના એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર કમલેશ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.