Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આપ સાંસદ ડૉ. સંદીપ પાઠકજી એ વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી

આપ સાંસદ ડૉ. સંદીપ પાઠકજી એ વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી

અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરના લોકો 'આપ' પર વિશ્વાસ મૂકશે અને પ્રચંડ બહુમતી સાથે વિસાવદરની સીટ જીતાડશે: સંદીપ પાઠક

Ahmedabad February 15, 2024
આપ સાંસદ ડૉ. સંદીપ પાઠકજી એ વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી

આપ સાંસદ ડૉ. સંદીપ પાઠકજી એ વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી

જુનાગઢ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી, ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકજી ગઈકાલે બે દિવસ માટે ગુજરાત પ્રવાસે પધાર્યા હતા. ગઈકાલે ભરૂચ ખાતે એક કાર્યકર્તા સંમેલનમાં ડૉ. સંદીપ પાઠકે હાજરી આપી હતી અને ત્યારબાદ આજે વિસાવદર ખાતે વધુ એક કાર્યકર્તા સંમેલનમાં ડૉ.સંદીપ પાઠકે હાજરી આપી હતી. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા, બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ ભાદરકા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકે કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે તો એ જરૂર લખવામાં આવશે કે ભાજપના લાંબા શાસન દરમિયાન ગુજરાતની જનતા ખૂબ જ ત્રસ્ત હતી અને વિપક્ષ કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવામાં નિષ્ફળ સાબિત થયો હતો. પરંતુ ત્યારબાદ એક ઉમ્મીદની કિરણ બનીને આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રવેશી. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રવેશમાં વિસાવદરે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો અને બદલાવ માટે વોટ આપીને વિસાવદર વિધાનસભાની સીટ આમ આદમી પાર્ટીને જીતાડી આપી હતી. આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો હાલ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. ફક્ત વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય કમજોર સાબિત થયા હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર ખતમ કરીશું, ખેડૂતોને સક્ષમ કરીશું, યુવાઓને રોજગાર આપીશું અને એક સારો દેશ બનાવીશું, જ્યાં દરેક સમાજના લોકો સાથે હળીમળીને ખુશ રહે. હોસ્પિટલ અને સારી સ્કૂલો માટે કોઈપણ વ્યક્તિને તકલીફ ન થાય એ રીતની વ્યવસ્થાને લાગુ કરવા માટે અરવિંદ કેજરીવાલજી રાજનીતિમાં આવ્યા હતા. માટે ભ્રષ્ટાચારી પાર્ટીના લોકો અરવિંદ કેજરીવાલજીને રોકવા માટે તમામ મોરચે મહેનત કરવામાં લાગી ગયા. પરંતુ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમત સાથે દિલ્હીમાં સરકાર બનાવવામાં સફળ રહ્યા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મજબૂત સરકારને જોઈને વિરોધીઓએ ષડયંત્ર રચવાનું શરૂ કર્યું, જેનાથી બીજા કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર ન બને. ત્યારબાદ પંજાબના લોકોએ પણ જોયું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે, તો એક મોકો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને પણ આપવો જોઈએ. ત્યારબાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટી મોટી બહુમતી સાથે જીત મેળવી. આ બે મહત્વપૂર્ણ જીત બાદ અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

સોમનાથ મહાદેવના દર્શન કરી AAPએ ખેડૂત લડત શરૂ કરી, યાત્રા દરમિયાન ગામેગામ જશે
સોમનાથ મહાદેવના દર્શન કરી AAPએ ખેડૂત લડત શરૂ કરી, યાત્રા દરમિયાન ગામેગામ જશે
February 24, 2026

પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર AAP નેતાઓ. ગામેગામ જઈ ખેડૂતોની તકલીફો સાંભળશે, ભાજપ સરકારના અત્યાચાર વિરુદ્ધ બુલંદ અવાજ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express