AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબ CM ભગવંત માન સાહેબ 21-22 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે. 21મીએ અમદાવાદમાં મીડિયા સંબોધન અને પ્રદેશ નેતૃત્વ સાથે સ્થાનિક ચૂંટણી બેઠક, 22મીએ ભાવનગરમાં રાજુભાઈ સોલંકીના સમૂહ લગ્ન અને વલ્લભીપુરમાં મુરલીધર મંદિર પ્રતિષ્ઠા + રમેશ ઓઝાની કથામાં રસપાન. વિગતો જુઓ.
અમદાવાદ / ભાવનગર / ગુજરાત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલથી ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલે 21 ફેબ્રુઆરીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી સમિતિની જાહેરાત કરી દીધી છે અને મજબૂતીથી ચૂંટણી તરફ આગળ વધી રહી છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલજી અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે અને મીડિયાને સંબોધન કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ સાથે સંગઠન મુદ્દે મહત્વપૂર્ણ બેઠક કરશે.
વધુમાં AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ત્યારબાદ રવિવારે 22 ફેબ્રુઆરીએ ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં જે માંધાતા ગ્રુપના સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, તેમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ હાજરી આપશે. ત્યારબાદ વલ્લભીપુર તાલુકાના પછે ગામમાં મુરલીધર મંદિરની પ્રતિષ્ઠામાં પણ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ હાજરી આપશે અને દર્શન કરશે. સાથે સાથે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ જાણીતા વક્તા રમેશભાઈ ઓઝાની કથાનું રસપાન પણ કરશે.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.
ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું.
"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.