અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર AAPના પ્રહાર: 0% ટેરિફથી અમેરિકન પ્રોડક્ટ ભારતમાં, ભારતીય ખેડૂતોની કંગાળી નિશ્ચિત – પ્રવીણ રામ
AAP નેતા પ્રવીણ રામે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને ખેડૂતો માટે ઘાતક ગણાવી – અમેરિકન પેદાશો 0% ટેરિફથી ભારતમાં, ભારતીય પેદાશો 18% ટેરિફથી અમેરિકામાં. એગ્રી સેક્રેટરીના નિવેદન પછી ખેડૂતોના ભાવ તળિયે જશે. ભાજપ સરકારે દેશને ખતરામાં મૂક્યો. વિગતો જુઓ.
અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ આવનારા દિવસોમાં ભારતના ખેડૂતો માટે ઘાતક નીવડે એવી પૂરી શક્યતાઓ છે. કારણ કે અમેરિકાના એગ્રીકલ્ચર સેક્રેટરીએ જણાવ્યું છે કે “અમેરિકાના ખેડૂતો માટે ભારતનું મોટું બજાર ખુલી ગયું છે”. હવે જો અમેરિકાના ખેડૂતોની પ્રોડક્ટ ભારતમાં ઝીરો ટકા સાથે પ્રવેશ કરશે તો ભારતના ખેડૂતોએ મહા મહેનતે પરસેવો પાડીને જેટલી પણ ખેતપેદાશો ઉત્પન્ન કરી છે, તેના ભાવ તળિયે જશે અને ભારતના ખેડૂતોની કંગાળ પરિસ્થિતિ ઊભી થશે.
વધુમાં AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ અમેરિકાથી આવતા કોટન પર ઝીરો ટકા ટેરીફ લાગુ કરવાનો નિર્ણય ભાજપ સરકારે લીધો હતો અને હવે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટને લઈને જે સમાચાર આવી રહ્યા છે એ જોઈને લાગે છે કે આવનારા દિવસોની અંદર આ દેશના ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થવાની છે. ભારતની પ્રોડક્ટ અમેરિકા જાય તો 18% ટેરીફ અને અમેરિકાની પ્રોડક્ટ ભારતમાં આવે તો 0% ટેરિફ, તો આ ટ્રેડ ડીલ ભારત માટે કઈ રીતે ફાયદારૂપ સાબિત થશે? મારું સ્પષ્ટપણે માનવું છે કે આ રીતની ટ્રેડ ડીલ કરીને ભાજપ સરકારે આખા દેશને ખતરામાં મૂકવાનું કામ કર્યું છે. માટે મારું માનવું છે કે આ ટ્રેડ ડીલ ભારતના ખેડૂતો માટે ઘાતક નીવડી શકે એમ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
AAP ગુજરાતે “ડ્રગ્સથી આઝાદી” ઝુંબેશ શરૂ કરી: પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જાહેરાત કરી – 6 વર્ષમાં 1.30 લાખ કિલો ડ્રગ્સ ઝડપાયું, યુવાધન બરબાદ થઈ રહ્યું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવાની આગેવાનીમાં જિલ્લે-તાલુકે-ગામડે અભિયાન. એસપી કચેરી-પાનગલ્લામાં ડ્રગ્સ વેચાય છે, હોમ ડિલિવરી થાય છે. વિગતો જુઓ.
જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલનો સુખદ અંત: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થીથી મેનેજમેન્ટે 7માંથી 6 માંગણીઓ સ્વીકારી. 1 એપ્રિલથી કામ પ્રમાણે પગાર વધારો, 62 લોકોને પ્રમોશન, 20-25ને અપગ્રેડેશન અને હડતાળ દરમિયાનના પગારની ખાતરી. સરદાર સરોવર નિગમ સાથે લેખિત બાંહેધરી. વિગતો જુઓ.
દેવમોગરામાં યાહ મોગી માતાજીના મહાશિવરાત્રી મેળાની તૈયારી માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી. રોડ-રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય, સુરક્ષા અને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સાથે સંકલન પર ભાર. લાખો શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થાની વાત. વિગતો જુઓ.