Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAP નેતા પિયુષ પરમારે SIRમાં મતદારોના નામ કાપવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો: ભાજપે 12 લાખ+ ફોર્મ ભરી સામાન્ય મતદારોનો અધિકાર છીનવ્યો. એક નામે 800+ અરજીઓ, કાર્યકર્તાઓને ખબર નહીં. પુરાવા સાથે આરોપ, ચૂંટણી પંચને જવાબદારી. તાજા અપડેટ જુઓ.

Ahmedabad February 02, 2026
મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ/જુનાગઢ/જામનગર/સુરેન્દ્રનગર/ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમારે એક વીડિયોના માધ્યમથી ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, SIRની કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલે છે અને ભ્રષ્ટ ભાજપે 12,00,000 કરતા વધારે સાત નંબરમાં ફોર્મ ભરી સામાન્ય મતદારોનો મતદાન કરવાનો અધિકાર છીનવી લેવાની કોશિશ કરી છે. માંગરોળ માળીયાહાટી વિધાનસભાના 30000થી વધારે ફોર્મ રજૂ થયા, જેમાં આ તાલુકાના 7216 જેટલા ફોર્મ રજૂ થયા અને એનું એક લિસ્ટ મારી પાસે આવ્યું છે, જેમાં ખૂબ જ ચોકાવનારા ખુલાસા થયા છે. આ લિસ્ટમાં એની જાણકારી છે કે કેટલા લોકોએ કેટલા નામ કમી કરવા માટે અરજી કરી. આ તમામ લોકો ક્યાંકને ક્યાંક બીજેપી સાથે સંકળાયેલા છે અને બીજેપીના હોદ્દાઓ ઉપર પણ છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે અમે ક્રોસ ચેક કર્યું તો ખબર પડી કે આ લોકોને ખબર જ નથી કે તેમના નામથી આવી અરજીઓ થઈ છે. હું ભાજપના તમામ સામાન્ય કાર્યકરોને કહેવા માગું છું કે તમારા નામે ભ્રષ્ટ ભાજપે અરજીઓ કરી છે અને તમારું નામ તમારું ચૂંટણી કાર્ડ અને તમારો નંબરનો ઉપયોગ કર્યો છે. એક જ દિવસમાં એક જ વ્યક્તિ ૩૦ હજાર અરજી આપીને જાય છે અને એના નામનો ખુલાસો પણ કરવામાં આવતો નથી, આ મુદ્દે ચૂંટણીપંચની જવાબદારી છે કે તેઓ માહિતી પૂરી પાડે પરંતુ હવે ચૂંટણી પંચ ક્યાંકને ક્યાંક  શંકાના દાયરામાં છે.

વધુમાં AAP નેતા પિયુષ પરમારે જણાવ્યું હતું કે, કોઈના નામે 131, કોઈના નામે 235, તો કોઈકના નામે 400થી વધારે તો કોઈના નામે 800થી વધારે અરજીઓ કરવામાં આવી છે. અને આ રીતે હજારો અરજીઓ થઈ ગઈ પરંતુ અરજી કરનાર વ્યક્તિને જ ખબર નથી કે તેમના નામે અરજીઓ થઈ રહી છે. ભાજપ એમના કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક સમાજમાં બદનામ કરવા માટે આ કરી રહ્યું છે. SIRના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સાત નંબરનું ફોર્મ ભરીને કોઈના વિરુદ્ધ અરજી કરે છે તો તે વ્યક્તિ પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ અને જો પૂરતા પુરાવા નહીં હોય તો આ એક ગુનાહિત પ્રવૃત્તિ ગણવામાં આવશે અને આના ગુનામાં એક વર્ષથી વધારેની સજા અને દંડની પણ જોગવાઈ છે. અમે કોઈપણ વ્યક્તિ પર હાલ FIR કરવા માંગતા નથી. ચૂંટણી પંચને અમે કહેવા માંગીએ છીએ કે નાના અને મધ્યમવર્ગના લોકોના નામ કપાતા હશે તો આમ આદમી પાર્ટી શાંતિથી બેસશે નહીં. હું સ્પષ્ટપણે સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માગું છું કે આ તો ફક્ત એક જ જગ્યાની અરજીઓની વાત છે પરંતુ સમગ્ર ગુજરાતમાં આ રીતે ભ્રષ્ટ ભાજપ દ્વારા ખોટી રીતે અરજીઓ કરવામાં આવી છે, કમલમથી ડાયરેક્ટ આ વસ્તુ ચાલી રહી છે. ફક્ત કોઈ એક સમાજ નહીં પરંતુ તમામ સમાજના લોકોના મત કાપવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાજપ લોકોના વોટ કાપવાનું જે પાપ કરી રહ્યું છે, તેનો જવાબ જનતા આપશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ખજોદ આગ મુદ્દે 300 કરોડના કચરા કૌભાંડનો ખુલાસો કરતા AAP નેતા પાયલ સાકરીયા
surat
February 02, 2026

ખજોદ આગ મુદ્દે 300 કરોડના કચરા કૌભાંડનો ખુલાસો કરતા AAP નેતા પાયલ સાકરીયા

સુરત ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભયાનક આગ: AAP પાયલ સાકરીયાએ મનપા બેદરકારી અને 300 કરોડ કચરા કૌભાંડનો ખુલાસો કર્યો. 15 દિવસની ચેતવણી પછી પણ કાર્યવાહી નહીં, ભાજપ કોન્ટ્રાક્ટરને બચાવવાનો આરોપ. સ્વતંત્ર તપાસ અને કાર્યવાહીની માંગ. વિગતો જુઓ.

AAP ગુજરાત અભિયાન લોન્ચ: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું” નારા સાથે ગોપાલ ઇટાલીયાની પ્રેસ કોન્ફરન્સ
ahmedabad
February 02, 2026

AAP ગુજરાત અભિયાન લોન્ચ: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું” નારા સાથે ગોપાલ ઇટાલીયાની પ્રેસ કોન્ફરન્સ

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું અભિયાન શરૂ કર્યું: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”. ગોપાલ ઇટાલીયાએ ભાજપની બાપ-બેટાની રાજનીતિ, બુલડોઝર દાદાગીરી અને શોષણ પર આકરા પ્રહાર કર્યા. ગલી-ગલી પહોંચશે AAP, પીડિતોની સાથે છે. તાજા અપડેટ જુઓ.

નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા
ahmedabad
February 02, 2026

નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું કેમ્પેઇન લોન્ચ કર્યું: “ના બેટાનું ના બાપનું, ગુજરાત હવે AAPનું”. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના શોષણ સામે જાગૃતિ અભિયાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોસ્ટર અને કાર્યકર્તાઓ ગામડે-ગામડે પહોંચશે. તાજા અપડેટ જુઓ.

Braking News

પટનાઃ પ્રશાંત કિશોરને મળ્યા જામીન,  બ્યુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા
પટનાઃ પ્રશાંત કિશોરને મળ્યા જામીન, બ્યુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા
January 06, 2025

જન સૂરજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરને પટના સિવિલ કોર્ટ દ્વારા શરતી જામીન મળ્યા બાદ પટનાની બ્યુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express