Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAP નેતા ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો BLO હેલ્પલાઇન નંબર

AAP નેતા ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો BLO હેલ્પલાઇન નંબર

નોકરીમાંથી કાઢી નાખવાની અને ધરપકડ કરવાની ભાજપે જે ચાલ રચી, એના કારણે આજે BLO તરીકે કામ કરતા શિક્ષકોના જીવ જઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી

Ahmedabad November 29, 2025
AAP નેતા ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો BLO હેલ્પલાઇન નંબર

AAP નેતા ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો BLO હેલ્પલાઇન નંબર

ગુજરાતમાં સતત બીએલઓની પ્રક્રિયાના દબાણના કારણે અનેક કર્મચારી અને શિક્ષકોના મૃત્યુ થયા છે. આમ આદમી પાર્ટીએ કામનું પ્રેશર અનુભવના બીએલઓ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી સાવ સામાન્ય પાર્ટી છે. અમે બધા જ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે તમારા માટે બીજું કશું નથી કરી શકતા પરંતુ અમે તમારા દુઃખમાં સહભાગી બની શકીએ છીએ તમે જે લડત ચલાવો છો એમાં સહભાગી બની શકીએ છીએ. આ કેન્દ્ર સરકારે અને નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે અમારી પાસે કોઈ સત્તા નથી કે અમે આને અટકાવી શકીએ. જો રાજ્યમાં અમારી સરકાર હોત તો આ કામગીરીની સમય મર્યાદા પણ વધારી દીધી હોત પરંતુ અમારી પાસે એ પણ નથી.

માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારા પ્રદેશ નેતૃત્વએ ઓનલાઈન મીટીંગ કરીને નક્કી કર્યું છે કે જે બીએલઓ પ્રેશરમાં કામ કરી રહ્યા છે તેમને આમ આદમી પાર્ટી મદદરૂપ થશે. હું તમામ બીએલઓને કહેવા માગું છું કે તમે કોઈ જ ખોટું પગલું ભરશો નહીં. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે. અમે બીએલઓ હેલ્પલાઇન નંબર જાહેર કરીએ છીએ. તમારા ઉપર ગમે તેટલું કામનું પ્રેશર હોય તમે 9104918196 નંબર ડાયલ કરજો અમે અમારા કાર્યકરો તમને અલોટ કરી દઈશું જે તમને કામગીરીમાં મદદરૂપ થશે. અમે 20000 કાર્યકર્તાઓને ટીમ બનાવી છે. તમે જે પણ જિલ્લા, તાલુકાના બૂથ પર કહેશો ત્યાં અમારા કાર્યકર્તાઓ આવીને તમને મદદ કરશે.પરંતુ તમે કોઈ જ ખોટું પગલું ભરોસો નહીં કારણકે તમારા ઉપર તમારો પરિવાર નથી રહ્યો છે. રાવણ જેવી ભાજપ સરકાર ચૂંટણી લડી અને ઉદ્યોગપતિઓના પૈસાથી ચૂંટણી જીતી આખું ગુજરાત વેચી નાખવા બેઠી છે. દરેક બીએલઓ, સરકારી કર્મચારી, વિદ્યા સહાયકો, જ્ઞાન સહાયકો, ખેડૂતો, યુવાનો સહિત તમામને હું વિનંતી કરુ છું કે હવે  ભાજપને વોટ ન આપતા કારણકે ભાજપ તમારા પરિવારના સભ્યનો જીવ લઈ લેશે. જો અત્યારે અમારી સરકાર હોત તો એક પણ બીઓલઓનો જીવ ગયો હોત નહીં. પરંતુ તમે નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપ્યો પણ એ નરેન્દ્ર મોદી પણ આજે તમારી સામે જોતા નથી એનું આ પરિણામ છે. 

બીએલઓની મનોસ્થિતિ વર્ણવતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ઘણા સમયથી બીએલઓ ખૂબ પ્રેશર હેઠળ કામ કરી રહ્યા છે. એક જ મહિનામાં કામગીરી કરવાની અને કામગીરી ન થાય તો ધરપકડ અને વોરંટ કાઢવાની ચાલ ભાજપે રમી એના લીધે તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અને શિક્ષકો જેમના પરિવારના મતથી નરેન્દ્ર મોદી ચૂંટાયા આજે એ જ નરેન્દ્ર મોદીના એસઆઈઆરના કેમ્પઈનના કારણે તેમનો જીવ જઈ રહ્યો છે. જે પણ બીએલઓએ એસઆઈઆરની કામગીરી દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે તે તમામને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું.

ખેડાના કપડવંજના પ્રિન્સિપલ રમેશભાઈ પરમારનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું, ગીર સોમનાથના કોડીનારના ટીચર અરવિંદભાઈ વાઢેરે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો. તમે વિચારી શકો છો કે એ શિક્ષક ઉપર કામગીરી કરવાનું કેટલું દબાણ હશે કે તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો. તેમણે કેટલાય બાળકોને ભણાવ્યા હશે અને પગભર બનાવ્યા હશે હજુ કેટલાય બાળકોને પગ પર બનાવવાના સપના તેમણે જોયા હશે પરંતુ નરેન્દ્ર મોદીએ આ એસઆઈઆરની પ્રક્રિયા કરવાની જીદ કરી તેથી એ જ પરિવારના મતથી ચૂંટાયેલ ભાજપ અને નરેન્દ્ર મોદીએ આ શિક્ષકો ઉપર એટલું બધું દબાણ નાખ્યું કે આજે આ શિક્ષકે આપઘાત કરી લીધો. તાપી જિલ્લાના પ્રિન્સિપાલ કલ્પનાબેન પટેલેને પણ એસઆઈઆરની કામગીરીના કારણે એટેક આવી ગયો તેવું તેમના પરિવારજનોનું માનવું છે. વડોદરાના ક્લાર્ક આસિસ્ટન્ટ બીએલઓ ઉષાબેન સોલંકીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું, સુરતના આસિસ્ટન્ટ ટીચર દિનકર શિંગોડાવાલાનું પણ એસઆઈઆરની કામગીરીના પ્રેશરથી મૃત્યુ થયું છે. મહેસાણાના શિક્ષક દિનેશ રાવળનું પણ એસઆઈઆરની કામગીરીને કારણે મૃત્યુ થયું છે. ભાજપે એક મહિનામાં કામગીરી કરવા માટે બી.એલ.ઓ ઉપર ખૂબ જ પ્રેશર કર્યું છે. કેટલાક બીએલઓ લોકોને ફોર્મ ભરીને આપવા માટે વિનંતી કરતા હોય તેવા ઓડિયો પણ વાયરલ થયા છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
new delhi
March 18, 2026

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.

Braking News

ઉર્વશી રૌતેલાના ચાહકોને આંચકો, 'કંતારા 2'માં રિષભ શેટ્ટીના કાસ્ટિંગના સમાચાર એ અફવા છે.
ઉર્વશી રૌતેલાના ચાહકોને આંચકો, 'કંતારા 2'માં રિષભ શેટ્ટીના કાસ્ટિંગના સમાચાર એ અફવા છે.
February 11, 2023

પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા એક સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે ઉર્વશી આ ફિલ્મનો ભાગ નથી. ચાહકોએ જે સાંભળ્યું છે તેના પર જ વિશ્વાસ કરી રહ્યા છે. અભિનેત્રી સાથે ફિલ્મમાં કામ કરવા અંગે કોઈ વાત થઈ નથી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express