AAPએ કોન્ટ્રાક્ટરોની ખરાબ કામગીરી મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરી
AAP જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં AAPએ નાયબ કાર્યપાલક ઇજનેરને કરી ઉગ્ર રજૂઆત, કોન્ટ્રાક્ટરો બેઇમાની કરે છે અને નિયમો અનુસાર કામ કરતા નથી: પિયુષ પટેલ
અમદાવાદ/ભરૂચ/ગુજરાત : આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આજે જિલ્લા પંચાયત ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને ગંભીર મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ AAP નેતા પિયુષ પટેલે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ભરૂચ નાયબ કાર્યપાલક ઇજનેરને એક મહત્વપૂર્ણ મુદ્દે અરજી કરવામાં આવી છે. આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને ભાજપ સરકારે તાત્કાલિક ધોરણે બધા જ ટેન્ડરોની પ્રક્રિયા પૂર્ણ કરી અને એ હંગામી ધોરણે કામને ચાલુ કરી દીધું છે. તંત્ર દ્વારા કામ કરવામાં આવે છે એ સારી બાબત છે અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ આવે એ ખૂબ જ સારી બાબત છે. પરંતુ જ્યારે અમુક અધિકારીઓના કારણે કોન્ટ્રાક્ટરો એકદમ બેઇમાની કરે છે અને નિયમો અનુસાર કામ નથી કરતા. જેને લઈને અમે આજે રજૂઆત કરવા ગયા હતા.
વધુમાં AAP નેતા પિયુષ પટેલે જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરવા ગયા તો અધિકારીઓ દ્વારા અમને જણાવવામાં આવ્યું કે કોઈ નિયમનો ભંગ થયો નથી. જનતા ટેક્સ ભરી રહી છે અને ટેક્સના પૈસેથી રોડ બની રહ્યા છે, તો જનતાને આ કામકાજની માહિતી જાણવાનો પૂરેપૂરો હક છે, છતાં પણ અધિકારીઓ ઉડાવ જવાબ આપે છે અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટી આ જરા પણ ચલાવી દેશે નહીં. તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા દ્વારા અધિકારીઓને હજુ વધુ રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે તો ઉગ્ર કાર્યક્રમ પણ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.