ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ
રાજ્ય સરકાર દ્વારા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પસંદગીની હોટલોમાં દારૂના વેચાણની આંશિક છૂટ આપતા નવો વિવાદ વકર્યો છે. આ નિર્ણય સામે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગાંધીજીના આદર્શો પર ચાલતી આ પવિત્ર ભૂમિ પર દારૂનું વેચાણ શરૂ કરવું એ અત્યંત શરમજનક અને ખેદજનક છે.
અમદાવાદ / પોરબંદર / ગુજરાત : ગાંધીનગરમાં દારૂના વેચાણની છૂટ આપી વિવાદ જગાવનાર રાજ્યની ભાજપ સરકારે હવે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ દારૂને આંશિક છૂટ આપતા નવા વિવાદને જન્મ આપ્યો છે. અગાઉ પરમિટ ધારકોને અન્ય શહેરોમાંથી દારૂ મેળવવો પડતો હતો, પરંતુ હવે ભાજપ સરકારની કૃપાથી કેટલીક પસંદગીની હોટલોમાં તારીખ ૧લી એપ્રિલથી દારૂનું વેચાણ શરૂ થવાનું છે. આ નિર્ણયને લઈને વિવિધ સ્તરે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ એક વિડિયો સંદેશ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ડૉ. નૂતન ગોકાણીએ જણાવ્યું હતું કે હોટલોમાં દારૂ વેચવાની છૂટ આપવામાં આવી છે, જે અત્યંત શરમજનક અને ખેદજનક બાબત છે, ખાસ કરીને પોરબંદર જેવી જગ્યા માટે, જે વિશ્વભરમાં ગાંધીજીની જન્મભૂમિ તરીકે ઓળખાય છે. ગાંધીજીના સિદ્ધાંતો, નિયમો અને આદર્શો પર દુનિયા ચાલે છે, ત્યારે એ જ ભૂમિ પર દારૂ વેચાણ શરૂ કરવું ખૂબ જ નાશવંત અને વિરોધાભાસી નિર્ણય છે. તેમણે વધુમાં શંકા વ્યક્ત કરી હતી કે હોટલોમાં દારૂનું વેચાણ શંકાસ્પદ રીતે થઈ રહ્યું છે અને ૫૦૦ જેટલા લોકોને પરમિટ આપવામાં આવી હોવાની વાતો સામે આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ તમામ લોકોને એવી કોઈ બીમારી છે કે જેના કારણે તેમને દારૂ પીવાની પરમિશન આપવામાં આવી છે? સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે ટુરિસ્ટના નામે પણ દારૂ વેચાણ થતું હોવાની ચર્ચા છે, જે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોરબંદરથી જ દારૂની છૂટ શરૂ થવી અત્યંત ખોટું પગલું છે અને સરકાર માટે આથી ખરાબ નિર્ણય બીજો કોઈ હોઈ શકે નહીં. તેમણે માંગ કરી કે પોરબંદરને દારૂથી સંપૂર્ણપણે દૂર રાખવું જોઈએ.
આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે આઈ-ખેડૂત પોર્ટલની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકારે ખેત ઓજારોની સહાય માટે જાહેરાતો તો કરી, પરંતુ છેલ્લા 5 દિવસથી પોર્ટલ બંધ હોવાથી ખેડૂતો અરજી કરી શકતા નથી. વેબસાઈટ ન ખુલવી અને પ્રિન્ટ ન નીકળવી જેવી સમસ્યાઓથી ખેડૂતોને ખેતીના કામ છોડીને ધક્કા ખાવા પડે છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે સરકાર ડ્રગ્સ અને દારૂનું વેચાણ રોકવામાં નિષ્ફળ રહી છે અને આખી પોલીસને AAP ના કાર્યકર્તાઓ પાછળ લગાડી દીધી છે. છેલ્લા એક મહિનામાં 50 થી વધુ કાર્યકરો પર ખોટી FIR કરવામાં આવી હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે ભાજપ હારના ડરથી 'ખાખી'નો દુરુપયોગ કરી રહી છે.
ચંદીગઢમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળના અનેક વરિષ્ઠ નેતાઓ અને સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભગવંત માન સરકારની નીતિઓ પર વ્યક્ત કર્યો ભરોસો.