Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન

ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું. 

Ahmedabad February 25, 2026
જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન

અમદાવાદ/રાજકોટ/ગુજરાત : ગોંડલ ખાતે આમ આદમી પાર્ટીના સક્રિય નેતા જીગીશાબેન પટેલ ઉપર થયેલા જીવલેણ હુમલા અંગે પાર્ટી દ્વારા કડક નિંદા વ્યક્ત કરવામાં આવે છે. આ બનાવ માત્ર એક મહિલા રાજકીય કાર્યકર પરનો હુમલો નથી, પરંતુ લોકશાહી મૂલ્યો, રાજકીય અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં રાજકીય અને સામાજિક સ્તરે અસંતોષ અને ચિંતા વ્યાપી છે. જો આવા અસામાજિક તત્વો સામે સમયસર અને કડક કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા વધી શકે છે.

આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લા પોલીસ તંત્રને આવેદન પત્ર આપી અમુક માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, કે હુમલામાં સંકળાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમની ઝડપથી ધરપકડ કરવામાં આવે,આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી ચાર્જશીટ દાખલ કરવામાં આવે, ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે, પીડિતાને જરૂરી પોલીસ સુરક્ષા તથા કાયદેસર સહાય પૂરી પાડવામાં આવે, અને સમગ્ર પ્રકરણમાં કોઈપણ પ્રકારનું રાજકીય દબાણ ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવે, આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ન્યાય માટે દરેક લોકશાહી માર્ગ અપનાવવામાં આવશે. જો પીડિતાને સમયસર ન્યાય નહીં મળે, તો પાર્ટી રસ્તાથી લઈને વિધાનસભા સુધી આંદોલન કરશે.

આ તકે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી અને સામાજિક ખતરા હેઠળ જીગીશાબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા કેટલાક તત્વોને સહન થતી નથી અને તે જ કારણસર આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. ગોંડલ તથા મિરજાપુર વિસ્તારમાં સક્રિય કાર્યકર જીગીશાબેન ઉપર થયેલો જીવલેણ હુમલો પણ રાજકીય દ્વેષભાવનાથી પ્રેરિત હોવાનું તેમણે જણાવ્યું હતુ. હુમલામાં સંકળાયેલા તત્વો દારૂના ગેરકાયદે ધંધા સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક માહિતી પરથી જાણવા મળે છે. લોકહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવતા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવામાં આવતા આ તત્વોએ રોષે ભરાઈ જીવલેણ હુમલો કર્યો છે. હાલ પીડિતા ગઈકાલથી આઈસીયુમાં દાખલ છે. આમ આદમી પાર્ટી દ્વારા આ બનાવની કડક નિંદા કરવામાં આવે છે અને દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા
ahmedabad
February 25, 2026

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન

"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.

સોમનાથ પછી ભાણખોખરીમાં AAPની ભવ્ય સભા – ઈસુદાન-મનોજ સાથે પ્રવીણ રામનો બોલ્ડ એજન્ડા
ahmedabad
February 25, 2026

સોમનાથ પછી ભાણખોખરીમાં AAPની ભવ્ય સભા – ઈસુદાન-મનોજ સાથે પ્રવીણ રામનો બોલ્ડ એજન્ડા

આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા સોમનાથથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામ 108 દિવસની જેલ બાદ પ્રથમ વખત ખેડૂતોને મળવા આવી રહ્યા છે. આ યાત્રા 26 ફેબ્રુઆરીએ જામખંભાળિયાના ભાણખોખરી પાટિયા પાસે સાંજે 6 વાગ્યે મોટી સભા યોજશે, જ્યાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહેશે. 

Braking News

કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જયસ્વાલનું કાનપુરમાં નિધન – રાજકારણમાં શોક
કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જયસ્વાલનું કાનપુરમાં નિધન – રાજકારણમાં શોક
November 28, 2025

પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રીપ્રકાશ જયસ્વાલનું કાનપુરમાં નિધન. ત્રણ વખત કાનપુરથી સાંસદ રહેલા નેતાને સીએમ યોગીએ શ્રદ્ધાંજલિ આપી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
May 26, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express